ગુજરાત હાઇકોર્ટ ખાતે આજે નવ નિર્મિત કાયદા ભવનનું લોકાર્પણ કરાશે. સીએમ વિજય રૂપાણીનાં હસ્તે સાંજે 6 લાગ્યે લોકાર્પણ કરાશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના જજ અને કેન્દ્રના સોલિસિટર જનલર પણ હાજર રહેશે. નવ નિર્મિત કાયદા ભવનમાં વિશાળ બેઠક વ્યવસ્થા સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. કુલ રૂ. 39 કરોડના ખર્ચે આ કાયદા ભવનનું નિર્માણ કરાયું છે.
ગુજરાત હાઈકોર્ટ (Gujarat high court) ખાતે નવ નિર્મિત કાયદા ભવન (Kayda bhawan) નું આજે સોમવારનાં રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. કાયદા વિભાગ દ્વારા અંદાજે રૂ.39 કરોડનાં ખર્ચે બનાવાયેલું આ ભવન સાચી રીતે રાજ્ય સુશાસનની યશકલગી સમાન પુરવાર થશે.
સુપ્રીમ કોર્ટના જજ આર.સુભાષ રેડ્ડી તથા કેન્દ્રના સોલિસિટર જનલર પણ હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં તો અહીં જૂનું કાયદા ભવન જ કાર્યરત છે પરંતુ ઘણા સમય પહેલાં તે બનેલું હોવાથી સુવિધાઓમાં ઉણપ સર્જાતી હતી. ત્યારે આ નવ નિર્મિત કાયદા ભવન વિશાળ બેઠક વ્યવસ્થા સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે.
આ નવા કાયદા ભવનની અંદર કોન્ફરન્સ રૂમ, રેકર્ડ રૂમ, એડવોકેટ જનરલ ચેમ્બર, એડીશનલ-ગવર્નમેન્ટ પ્લીડર ચેમ્બર સહિત અન્ય સુવિધાઓને પગલે પક્ષકારો અને કાયદા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓને પોતાનાં કેસોનું બ્રિફીંગ કરવામાં પણ સરળતા રહેશે. ગુજરાત હાઈકોર્ટનાં આ લોકાર્પણમાં હાઈકોર્ટનાં કાર્યકારી ચીફ જસ્ટીસ અનંતભાઇ એસ. દવે, રાજ્યનાં કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા કેન્દ્રનાં સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહેશે.