મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજ્યમાં કોરોના વધતા સંક્રમણને લઈને ચર્ચા કરાશે.
CMની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન
કોરોનાની સ્થિતિ, વ્યવસ્થાની સમીક્ષા કરાશે
બેઠકમાં અનેક મુદ્દાઓ અંગે પણ થશે ચર્ચા
કોરોનાની સ્થિતિ, વ્યવસ્થા અને રસીકરણ અંગે સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી શાળા-કોલેજો મામલે અને પરીક્ષાઓ યોજવા અંગે માર્ગદર્શન આપશે. તેમજ ઉનાળાની શરૂઆતમાં પાણી વિતરણનો મામલે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યમાં સરકારી યોજનાઓના અમલીકરણ પર ચર્ચા કરાશે. મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યુ અને પ્રતિબંધો અંગે પણ સમીક્ષા થશે.
વૃદ્વાશ્રમમાં આજથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાશે
રાજ્યમાં વેક્સિનેશન કામગીરી ઝડપી બનાવવા પ્રયાસ કરાઇ રહ્યા છે. વૃદ્વાશ્રમમાં આજથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. નિરાશ્રય લોકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. વેક્સિન માટે આધાર કાર્ડની આવશ્યકતા નહીં રહે. અત્યાર સુધીમાં 34.94 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. 6.09 લાખ લોકોને વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં રેકોર્ડબ્રેક 1730 નવા કેસ સાથે 1255 દર્દીઓ થયાં સાજા
ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1730 કેસ નોંધાયા હતા. 1255 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,77,603 કોરોના મુક્ત થયાં છે. તો 4 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4458 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.