યુ વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ગાંધીનગરથી નજર રાખી રહ્યા છે..ગાંધીનગરથી મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સથી અધિકારીઓ સાથે સંપર્કમાં છે.. મોરબી, ગીર-સોમનાથ, કચ્છ, બોટાદ અને જૂનાગઢના અધિકારીઓ સાથે CM રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી અને ત્યાંની સ્થિતિ અંગે તાગ મેળવ્યો. વાયુ વાવાઝોડામાં રાહત અને બચાવ માટે આર્મીને પણ સતર્ક રાખવામાં આવશે. તો વાવાઝોડાના પગલે સરકારી કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે..