ગાંધીનગર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવને કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે વરસાદને લઈ બેઠક મળી હતી. મુખ્ય સચિવ જે.એન.સિંહના અધ્યક્ષતા બેઠક મળી હતી.
ગાંધીનગર ખાતે આવેલ સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે આજરોજ યોજાયેલ આ બેઠકમાં રાજ્યના રાહત કમિશનર અને NDRFના અધિકારી સહિત મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ હાજર રહ્યા હતા.
Gujarat CM reviewed rain situation in the state and also conducted telephonic conversation with district administration & Prant Officer of heavy rainfall affected Gir Somnath & Una and gave directions for effective relief-rescue works directly from State Control Room Gandhinagar pic.twitter.com/8RhdjhyKMT
આ બેઠકમાં રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈ ચર્ચા કરવામાં આવી હતી. તો જ્યાં સ્થિતિ વિકટ બની છે ત્યાં કઈ રીતે મદદ પહોંચાડી શકાય તેને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિશેષ હાજરીમાં મળેલ આ બેઠકમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વરસાદે કરેલ જમાવટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો આ સાથે જ વરસાદને પગલે રાજ્યના કેટલા વિસ્તારમાં નુકસાન થયેલ છે તે અંગેનો તાગ પણ મેળવવામાં આવ્યો હતો.
Considering heavy rainfall alert by Met Dept Gujarat Govt has deployed 15 @NDRFHQ teams in different parts of the state and 5 more teams are coming. Moreover @IAF_MCC has also been kept ready for any kind of emergency in addition to 24x7 State & District level Control Rooms pic.twitter.com/4dlMxMzWpG
આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવેલ કે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ પંથકમાં વરસાદનું પ્રમાણ વધારે છે જેમાં સવારે વરસાદ પ્રમાણમાં વધુ હતો તો આ તરફ હાલ વરસાદના પાણી ઓસરી રહ્યા. ખાસ કરીને પાણીમાં ફસાયેલ એક ટ્રેનમાં સવાર 252 લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી સ્થાનિક તંત્ર અને NDRF ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે ગાંધીનગર ખાતે આવેલ કંટ્રોલરૂમમાંથી રાજ્યના મુખ્યપ્રધાને રાજ્યના વરસાદ અને તેનાથી થયેલ નુકસાન અંગેનો તાગ મેળવ્યો હતો તો આ સાથે 15 NDRF ટીમ ખડેપગે હોવાની માહિતી પણ આપવામાં આવી હતી.