મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે વડોદરામાં સભા દરમિયાન તબિયત લથડતા ઢળી પડ્યા હતા. જોકે પ્રાથમિક સારવાર બાદ તેઓ સ્વસ્થ જણાયા હતા. તેમ છતા તેમની તપાસ અમદાવાદની UN હોસ્પિટલમાં કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાના નિઝામપુરામાં સભા સંબોધી રહ્યા હતા. ત્યારે તેમની તબિયત લથડી હતી. તેઓ જનસભાને સંબોધન કરતા હતા અને આશરે 10 મિનિટમાં તેમને ચક્કર આવવા લાગતા તેઓ ઢળી પડ્યા હતા. જો કે સુરક્ષા કર્મીઓની સતર્કતાથી નીચે પટકાતા બચી ગયા હતા. બાદમાં ડૉક્ટરની ટીમે તેમની તપાસ કરી અને ગ્લૂકોઝ પીવડાવ્યું હતું અને બાદમાં તેમની તબિયતમાં સુધારો થયો હતો. ત્યારબાદ તેઓ જાતે થોડીવારમાં કોઈના ટેકા વગર ચાલતા પોતાની ગાડીમાં જઈને બેઠા હતા. તેમ છતા બાદમાં ડૉક્ટરની સલાહ બાદ વડોદરા એરપોર્ટ પરથી તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને બાદમાં સારવાર માટે શાહીબાગમાં આવેલી યુએન મહેતામાં પહોંચ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. તો મુખ્યમંત્રીની તબિયતને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે ફોન પર વાત કરી હતી. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓ અને દિગ્ગજોએ ટ્વિટ કર્યા હતા.
આવતીકાલે હેલ્થ બુલેટિન જાહેર કરાશેઃ ડૉક્ટર
UN મહેતાના ડાયરેક્ટર આર.કે.પટેલે કહ્યું કે, CM ચાલતા રૂમમાં ગયા હતા. ચિંતાનું કોઇ કારણ નથી. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તેમને ચક્કર આવ્યા હતા. આવતીકાલે હેલ્થ બુલેટિન જાહેર કરાશે.
CM રૂપાણીની સારવાર અંગે DyCM નીતિન પટેલનું નિવેદન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, 10 ડોક્ટર્સની ટીમે CMની તપાસ કરી છે. અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તમામ રિપોર્ટ નોર્મલ છે. CM રૂપાણીને 24 કલાક ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશનમાં રખાશે. હાલમાં CM રૂપાણીને કોઇ તકલીફ નથી.
PM મોદીએ CM રૂપાણી સાથે કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખબર અંતર પુછ્યા હતા. તેમની તબિયતને લઇને પ્રધાનમંત્રીએ વાતચીત કરી હતી.
મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છુંઃ અમિત ચાવડા
મુખ્યમંત્રીની તબિયત અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, સ્વાસ્થ્યને લઇને સમાચાર મળ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મંચ પર બેહોશ થઇ ગયા. તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.
चुनावी प्रचार के दौरान गुजरात के मुख्यमंत्री श्री @vijayrupanibjp जी, मंच पर बेहोश हुए, उनके स्वास्थ्य के लिए ईश्वर से प्रार्थना करता हूँ
ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અફવાઓ પર કોઇ ધ્યાન ન આપે. મુખ્યમંત્રીની તબિયત સારી છે. મુખ્યમંત્રીનું બીપી-લૉ થયું હતું. ડૉક્ટરે સારવાર આપતા તેઓ હવે સ્વસ્થ છે.
ગ્લુકોઝ ઓછું થવાથી પડી ગયા હતાઃ CR પાટીલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીને UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે. ગ્લુકોઝ ઓછું થવાથી પડી ગયા હતા. મહત્વનું છે કે, પાટીલે શાહીબાગમાં સભા ટુંકાવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ રૂપાણીની તબિયતને લઇને કર્યું ટ્વિટ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતના CM રૂપાણીના અવસ્થ થવાના સમાચાર મળ્યા, હાલ તેઓ ડૉક્ટરોની સારવાર હેઠળ છે અને તબિયત સારી છે. હું ઇશ્વરને તેમના તાત્કાલિક સારા થવાની પ્રાર્થના કરું છું.
गुजरात के मुख्यमंत्री श्री @vijayrupanibjp जी के अस्वस्थ होने का समाचार मिला और साथ ही यह जानकारी भी दी गई कि वे डॉक्टरों की देखरेख में हैं तथा अब बेहतर महसूस कर रहे हैं।
मैं ईश्वर से उनके शीघ्र पूर्णत: स्वस्थ होने की प्रार्थना करता हूं।