ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવા મામલે CM રૂપાણીએ રાજ્યના બે સિનિયર અધિકારીઓને તપાસ કરવાના આદેશ આપ્યા છે.
ભરૂચ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો
આગ મામલે 2 સિનિયર IAS અધિકારીને તપાસ સોંપાઈ
વિપુલ મિત્રા અને રાજકુમાર બેનિવાલને તપાસ સોંપાઈ
Update:
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો : ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો, 16 દર્દીઓ અને 2 નર્સિંગ સ્ટાફના થયા મૃત્યુ
તપાસના આદેશ
ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે CM રૂપાણીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. CM રૂપાણીએ રાજ્યના બે સિનિયર અધિકારીઓને આ મુદ્દે તપાસ કરવાના આદેશ આપ્યા છે. રાજ્યના લેબર અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રા એનએ મ્યુનિપાલિટી કમિશનર રાજકુમાર બેનિવાલને તાત્કાલિક ધોરણે ભરૂચ પહોંચીને તપાસ ચાલુ કરી દેવાના આદેશ આપ્યા છે.
#UPDATE | CM Vijay Rupani has directed two senior IAS officers of the state, Additional Chief Secretary for Labour & Employment Vipul Mitra and Commissioner Municipalities Rajkumar Beniwal to immediately reach Bharuch & investigate the incident of fire at a COVID Care Centre.
CM રૂપાણીએ ટ્વિટ કરીને કહ્યું કે ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
મૃતકોના પરિજનોને 4 લાખની અપાશે સહાય
ગુજરાત કોરોના વાયરસની ભયંકર મહામારીથી પીડાઈ રહ્યું છે અને એમાં મોતની આગ લોકોના જીવ લઈ રહી છે. ભરૂચમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 14 દર્દી એનએ 2 નર્સિંગ સ્ટાફ જીવતા હોમાઈ ગયા હતા ત્યારે સીએમ રૂપાણી દુ:ખ વ્યક્ત કરીને 4 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
Gujarat: Fire broke out at a #COVID19 care centre in Bharuch last night. 16 people, including 14 patients, died in the incident. pic.twitter.com/gbbLZzML6I
ભરૂચ શહેર ની ઘી બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતેના કોવિડ વોર્ડમાં આવેલ ICU વિભાગ ખાતે મોડી રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,આગ લાગવાની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે,તો 16 લોકો આ ભીષણ આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. આગ માટે પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે.
દુર્ઘટના સમયે હોસ્પિટલમાં 58 જેટલા દર્દી દાખલ હતા
કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાના પગલે દર્દીઓના સ્વજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા અને સમગ્ર ઘટનામાં દર્દીઓને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી,આગ લાગ્યા ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ આ થતા ફાયર ની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી,સાથે જ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. હોસ્પિટલના આઈ સી યુ વિભાગમાં ઘટના સમયે હોસ્પિટલ માં 58 જેટલા લોકો દાખલ હતા,જેમાંથી 14 જેટલા દર્દીઓ અને 2 હોસ્પિટલ સ્ટાફની નર્સનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનામાં ઘાયલ અનેક લોકોને ભરૂચ જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં રેસ્ક્યુ કામગીરી હાથધરી વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે ભરૂચ ન ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ,નગર પાલિકા ના પ્રમુખ અમિત ચાવડા સહિત ના આગેવાનો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.