ગાંધીનગર: ઉનાળો આવતાની સાથે જ ગુજરાતમાં જળસંકટ સર્જાતા પાણીની સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં નિવેદન આપ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાણી મુદ્દે કહ્યું હતું કે રાજયમાં કયાંય પણ પીવાના પાણીની તંગી ઉભી નહી થાય. રાજય સરકારે પીવાના પાણી માટે આગોતરૂ આયોજન કર્યુ છે. બાયપાસ ટનલમાંથી પાણી લેવા માટે મંજૂરી અપાઇ છે. લોકોને પુરતું પાણી મળી રહે તેના માટે જરૂરી આયોજન કરાયું છે. પાણી પુરવઠા વિભાગને વધુ 200 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવામાં આવશે. પાણી પહોંચાડવા માટે ટેન્કરની વ્યવસ્થા કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે રાજકોટના આજી ડેમમા નર્મદાના નીર આવ્યા હતા. જે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર હતા. જેનાથી રાજકોટવાસીઓને પીવાનું પાણીનું સંકટ ટળ્યું અને પાણીકાપનો બોજો પણ પ્રજા પર પડશે નહીં.