મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રસીકરણ અંગે લોકોને સંદેશો આપ્યો, દેશમાં બનેલી બંને સ્વદેશી રસી એકદમ સુરક્ષિત છે, 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જનતાજોગ સંદેશ
દેશમાં બનેલી સ્વદેશી બંને વેક્સિન સુરક્ષિત છે
1 એપ્રિલથી 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે
રાજ્યમાં કોરોનાના વધતા કેસ મામલે મુખ્યમંત્રીએ લોકોને સંદેશ આપ્યો છે. ગુજરાત સરકારે દવાઓ, વેન્ટીલેટર, ટેસ્ટિંગ અને સંજીવની રથ સહિતની સુવિધાઓ કાર્યરત રાખી છે. અને અત્યાર સુધીના સંક્રમણને અંકુશમાં રાખવામાં સફળ બન્યા છે. દેશના પ્રધાનમંત્રીની દૃઢ ઈચ્છા અને વૈજ્ઞાનિકની મહામહેનતથી ભારતે સ્વદેશી વેક્સિનનું નિર્માણ કર્યું છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત નિર્માણ પામેલી ભારતિય વેક્સિન સુરક્ષિત છે. જેનો ઉપયોગ સમગ્ર વિશ્વ કરી રહ્યો છે.
CM રૂપાણીએ કહ્યું કે, શરૂઆતમાં કોરોના નવો રોગ હતો. કોરોનાની સારવાર અંગેની પણ કલ્પના ન હતી. જેથી અમદાવાદમાં શરૂઆતમાં 1200 બેડની જાહેરાત કરી હતી. હોસ્પિટલમાં એકપણ બેડ ન ભરાય તે માટે પ્રાર્થના પણ કરી હતી. સરકારે કોરોનાની સારવાર માટે વ્યવસ્થાઓ ઉભી કરી છે.
રસીકરણ મુદ્દે મુખ્યમંત્રીની લોકોને અપીલ
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના સામે રસી જ મોટું શસ્ત્ર છે
ઘર આંગણે ટેસ્ટિંગની વ્યવસ્થાઓ ઉભી કરી
વૈજ્ઞાનિકોના પરિશ્રમના કારણે આપણી પાસે 2 સ્વદેશી વેક્સિન
બંને વેક્સિન એકદમ સુરક્ષિત છે.
ગુજરાતમાં રસીકરણનું કામ સફળતા પૂર્વક થઈ રહ્યું છે
31 માર્ચ સુધી 55 લાખ લોકોને વેક્સિનના ડોઝ આપ્યા
વેક્સિનેશનની કામગીરીમાં ગુજરાત અગ્રીમ સ્થાન ધરાવે છે.
આવતીકાલથી 45 વર્ષથી વધુના નાગરિકોને વેક્સિન મળતી થશે
નાગરિકોને રસીકરણનો લાભ લેવા માટે અપીલ કરૂ છું
વેક્સિનના મહાઅભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય
CMની અપીલ, "તમે વેક્સિનેશન કરાવો અને બીજાને પણ અપાવો"
કોરોના સામે પરિવારની સુરક્ષાને સુનિશ્ચિત કરીએ
હવે વેક્શિન, માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિગ અનિવાર્ય