વીટીવીના અત્યાધુનિક સ્ટુડિયોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. વીટીવી ન્યૂઝના સ્ટુડિયોના ઉદ્ઘાટન બાદ તેમણે મહામંથનમાં તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી વીટીવીના સ્ટુડિયોનું કર્યું ઉદ્ધાટન
લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં ઇસુદાન ગઢવી સાથે કરી ચર્ચા
ભ્રષ્ટાચાર અને મોટર વ્હિકલ એક્ટ સહિતના મુદ્દાઓ વિશે કરી વાત
VTV ન્યૂઝના એડિટર ઇસુદાન ગઢવી અને હેમંત ગોલાણી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહામંથનમાં ચર્ચા કરી હતી. વીટીવીના સાથે ભ્રષ્ટાચાર અને નવા મોટર વ્હિકલ એક્ટ સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.
કેન્દ્રના ટ્રાફિકના કાયદામાં ગુજરાત સરકારે શા માટે ફેરફાર કર્યો?
જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નવા મોટર વ્હિકલ એક્ટ અંગેના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે ભારત સરકારના નવા મોટર વ્હિકલ એક્ટમાં કોઇ ફેરફાર નથી કર્યો. કેન્દ્ર સરકારે જે કમ્પાઉન્ડીંગની સત્તા અમને આપી છે તેમાં ફેરફાર કર્યો છે. પરંતુ અમે પણ ગંભીર ગુનાઓ જેવા કે ડેન્જર્સ ડ્રાઇવિંગ, દારૂ પી'ને વાહન ચલાવવું, વગર લાઇસન્સે વાહન ચલાવવું જેવા ગુનાઓમાં કોઇ જ ફેરફાર નથી કર્યો.
વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા માત્ર હેલ્મેટ, ત્રિપલ સવારી ડ્રાઇવિંગ અને પીયૂસીમાં જ ફેરફાર કરવામાં આવ્યા છે. બાકીનું બધું જે છે તે છે.