ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત વ્યસ્ત કાર્યક્રમના કારણે આજે વડોદરામાં સભા દરમિયાન તેમની તબિયત નાદુરસ્ત થતા ઢળી પડ્યા હતા.
વડોદરામાં સભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ઢળી પડ્યા હતા
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અમદાવાદ UN મહેતા હોસ્પિટલમાં થશે તપાસ
હાલ મુખ્યમંત્રીની તબિયત સારી: DyCM નીતિન પટેલ
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. તેવામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોરચો સંભાળ્યો હતો. વડોદરામાં કોંગ્રેસના ગઢ ગણાતા તરસાલી, કારેલીબાગ અને નિઝામપુરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભા સંબોધવા માટે પહોંચ્યા હતા. ત્રીજી સભામાં નિઝામપુરામાં સંબોધન દરમિયાન અચાનક તબિયત લથડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઢળી પડ્યા હતા. તેમના ગાર્ડે તેમને પકડે તે પહેલા જ તેઓ પટકાયા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર અપાઇ હતી. મુખ્યમંત્રીને ગ્લુકૉઝનું પાણી આપ્યા બાદ તેઓ સ્વસ્થ જણાયા હતા. તેઓ જાતે ચાલીને પોતાની ગાડીમાં પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર, તેમનું બ્લડ પ્રેશર ડાઉન થઇ ગયું હતું. થાક અને તણાવના કારણે તેમનું બ્લડ પ્રેશર લો થયું હોવાનું અનુમાન છે. જોકે હાલ તેમનું બીપી અને સુગર નોર્મલ છે. હાલ મુખ્યમંત્રીને વડોદરાથી અમદાવાદ લવાયા છે. જોકે હાલ મુખ્યમંત્રીની તબિયત એકદમ સ્વસ્થ છે.
CM રૂપાણીની સારવાર અંગે DyCM નીતિન પટેલનું નિવેદન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, 10 ડોક્ટર્સની ટીમે CMની તપાસ કરી છે. અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તમામ રિપોર્ટ નોર્મલ છે. CM રૂપાણીને 24 કલાક ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશનમાં રખાશે. હાલમાં CM રૂપાણીને કોઇ તકલીફ નથી.
આવતીકાલે(સોમવાર) હેલ્થ બુલેટિન જાહેર કરાશે
UN મહેતાના ડાયરેક્ટર આર.કે.પટેલે કહ્યું કે, CM ચાલતા રૂમમાં ગયા હતા. ચિંતાનું કોઇ કારણ નથી. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તેમને ચક્કર આવ્યા હતા. આવતીકાલે હેલ્થ બુલેટિન જાહેર કરાશે.
PM મોદીએ CM રૂપાણી સાથે કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખબર અંતર પુછ્યા હતા. તેમની તબિયતને લઇને પ્રધાનમંત્રીએ વાતચીત કરી હતી.
UN મહેતા હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા હતા
અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં ડૉક્ટર્સ તપાસ કરી રહ્યા છે
મુખ્યમંત્રી જાતે પગથિયા ચડી હોસ્પિટલમાં ગયા
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો UN મહેતા હોસ્પિટલ પહોંચ્યો
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અમદાવાદ હોસ્પિટલ પહોંચ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો થોડીવારમાં UN મહેતા હોસ્પિટલ પહોંચશે
એમ્બ્યુલન્સ અમદાવાદ એરપોર્ટની અંદર બોલાવાઇ
પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
મુખ્યમંત્રીના પત્ની અંજલી રૂપાણી રાજકોટથી ગાંધીનગર જવા રવાના થયા
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ રૂપાણીની તબિયતને લઇને કર્યું ટ્વિટ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતના CM રૂપાણીના અવસ્થ થવાના સમાચાર મળ્યા, હાલ તેઓ ડૉક્ટરોની સારવાર હેઠળ છે અને તબિયત સારી છે. હું ઇશ્વરને તેમના તાત્કાલિક સારા થવાની પ્રાર્થના કરું છું.
હાલ મુખ્યમંત્રીની તબિયત સારી: DyCM નીતિન પટેલ
CM વિજય રૂપાણીની તબિયત અંગે DyCM નીતિન પટેલે કહ્યું હતું કે, હાલ મુખ્યમંત્રી રૂપાણીની તબિયત સારી છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીને UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે. ગ્લુકોઝ ઓછું થવાથી પડી ગયા હતા. મહત્વનું છે કે, પાટીલે શાહીબાગમાં સભા ટુંકાવી છે, તેઓ પણ સિવિલ હોસ્પિટલ જવા નિકળ્યા છે.
મુખ્યમંત્રીના પત્ની અંજલી રૂપાણીનું નિવેદન
મુખ્યમંત્રીના પત્ની અંજલી રૂપાણીએ ફોન પર વાત કરી હતી. તેઓ રાજકોટથી ગાંધીનગર જવા રવાના થયા છે. મુખ્યમંત્રીની તબિયત અંગે અંજલી રૂપાણીએ કહ્યું કે, વિજય રૂપાણી હાલ સ્વસ્થ છે.
મુખ્યમંત્રીની તબિયત અંગે ભાજપની સ્પષ્ટતા
ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અફવાઓ પર કોઇ ધ્યાન ન આપે. મુખ્યમંત્રીની તબિયત સારી છે. મુખ્યમંત્રીનું બીપી-લૉ થયું હતું. ડૉક્ટરે સારવાર આપતા તેઓ હવે સ્વસ્થ છે.
ચૂંટણી નજીક આવતા સતત સભાઓ કરી રહ્યા છે મુખ્યમંત્રી
હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દિવસ રાત સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ છેલ્લા કેટલાક દિવસોથી સતત સભાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે વડોદરામાં મુખ્યમંત્રીની 3 સભા હતી. જોકે ત્રીજી સભા દરમિયાન મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા. મુખ્યમંત્રીએ વડોદરામાં આ અગાઉ 2 સભા સંબોધી હતી. જામનગર અને ભાવનગરમાં 2-2 સભાઓ ગજવી હતી. સતત વ્યસ્ત કાર્યક્રમને લઇને ચક્કર આવ્યા હતા.
અત્યાર સુધી શું થયું
CM રૂપાણીની વડોદરાના નિઝામપુરામાં ત્રીજી સભા સંબોધતા હતા
ભાષણ શરૂ કર્યાના 10 મિનિટ બાદ CM રૂપાણી ચક્કર આવતા ઢળી પડ્યા
સ્ટેજ પર જ તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી
સુરક્ષાકર્મીઓએ મુખ્યમંત્રીને ઉભા કરીને સોફા પર બેસાડ્યા અને પાણી આપ્યું
ડોક્ટરે ગ્લુકોઝનું પાણી આપ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી સ્વસ્થ દેખાયા
થોડીવાર બાદ સ્ટેજ પરથી કોઈ સહારા વગર ચાલતા જાતે ગાડી પાસે ગયા
ગાડીમાં બેસીને વડોદરા એરપોર્ટ પર જવા રવાના થયા હતા
વડોદરા એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ આવીને સારવાર માટે ગયા
અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા