મતદાન બાદ મુખ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં સૌ પ્રથમ ગુજરાતની જનતાનો પ્રાર્થના કરવા બદલ આભાર પણ માન્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ કર્યુ મતદાન
અનિલ જ્ઞાન મંદિરમાં કર્યું મતદાન
અંજલી રૂપાણીએ પણ કર્યું મતદાન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આપ્યા બાદ રાજકોટ ખાતે મતદાન કર્યું હતું. રાજકોટ મનપાના ચૂંટણીનું મતદાન આપવા ખાસ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં પત્ની અંજલીબેન રૂપાણી સાથે અનિલ જ્ઞાન મંદિરના સેન્ટર પર મતદાન કર્યું હતું.
મતદાન બાદ મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી. સૌ પ્રથમ ગુજરાતની જનતાનો આભાર પણ માન્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, મારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરનાર સૌ કોઈનો આભારી છું. હું કોરોનાગ્રસ્તમાંથી કોરોનામુક્ત બન્યો છે. આજે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ ફેસ સીલ્ડ પહેરીને મતદાન કર્યું હતું.