ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે આવતીકાલે CM રૂપાણીની અધ્યક્ષતામાં આવતીકાલે કેબિનેટ બેઠક યોજાશે.
આવતીકાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક
રાજ્યમાં હાલ પ્રવર્તમાન સ્થિતી મુદ્દે ચર્ચા કરાશે
મ્યુકોરમાઈકોસિસ, કોરોના, વેક્સિનેશન મુદ્દા પર ચર્ચા કરાશે
12 બોર્ડની પરીક્ષા મુદ્દે લેવાય શકે છે નિર્ણય
ગાંધીનગરમાં સવારે 10.30 વાગ્યે કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યમાં હાલની પ્રવર્તમાન સ્થિતી મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
આ મુદ્દાઓ પર થઈ શકે મંથન
તેમજ મ્યુકરમાઈકોસિસ, કોરોના, રસીકરણના મુદ્દા પર ચર્ચા કરાશે. અમદાવાદમાં બનાવાયેલા ઓવરબ્રીજની કામગીરી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત બોર્ડની પરીક્ષા મુદ્દે પણ લેવાઈ શકે નિર્ણય
તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં CBSEની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે ત્યારે ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા મુદ્દે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.
વેક્સિનેશન ઝડપથી થાય તે મુદ્દે પણ થઈ શકે ચર્ચા
કોરોનાને મ્હાત આપવા માટે વેક્સિનેશન કાર્યક્રમ યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે. ત્યારે 18 થી 44 વર્ષના વયજૂથમાં આવતા લોકોનું ઝડપથી રસીકરણ થાય તે મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં મંથન કરવામાં આવી શકે છે.
4 તારીખે પૂર્ણ થઈ રહી છે રાત્રિ કર્ફ્યૂની મુદ્દત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના 36 શહેરોમાં 4 તારીખના રોજ રાત્રિ કર્ફ્યૂની મુદ્ત પૂર્ણ થઈ રહી છે. ત્યારે સરકારની આગામી રણનીતિ મુદ્દે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,561 નવા કેસ નોંધાયા છે, તો 22 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 4,869 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,71,860 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 472 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 29,015 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 1,70,94,620 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,70,94,620 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 1,96,763 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 256 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 172 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 172 કેસ, જ્યારે ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 86 કેસ અને ગ્રામ્યમાં 42 કેસ નોંધાયા છે.