આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં પ્લાસ્ટિક નાબુદી અભિયાન મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં પડેલા વરસાદ બાદની સ્થિતિની અંગે સમીક્ષા થશે. આ સાથે રાજ્યમાં લીલા દુકાળ, મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન મુદ્દે પણ કેબિનેટનમાં ચર્ચા હાથ ધરાશે.
પ્લાસ્ટિક નાબુદી અભિયાન અંગે કેબિનેટનમાં ચર્ચા
રાજ્યમાં વરસાદ બાદની સ્થિતિ અંગે સમીક્ષા
રાજ્યના ડેમોમાં જળસ્તરની સ્થિતિને લઇને ચર્ચા
પ્લાસ્ટિક નાબુદી અભિયાન મુદ્દો કેબિનેટમાં છવાશે
કેન્દ્ર સરકારની જેમ દર બુધવારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક યોજાય છે. ત્યારે આજરોજની મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી કેબિનેટની બેઠકમાં સૌથી અગત્યનો મુદ્દો પ્લાસ્ટિક નાબુદી અભિયાન રહેશે. રાજ્યમાં લીલા દુકાળ, મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.
રાજ્યમાં પડેલા વરસાદ બાદની સ્થિતિ અંગે સમીક્ષા
જ્યારે રાજ્યમાં રહેલા અવિરત વરસાદને લઇને અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 140 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓના ડેમ ઓવરફલો થઇ જતાં પાણી છોડવામાં આવ્યાં હતા. આમ રાજ્યમાં પડેલા અવિરત વરસાદ બાદ લીલા દુકાળ જેવી સ્થિતિ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
રાજ્યની પેટાચૂંટણીને લઇને કવાયત અંગે ચર્ચા
જ્યારે બીજી તરફ રાજ્યની વિધાનસભાની 7 બેઠકની પેટાચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં યોજાનારી આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને કવાયત હાથ ધરાશે. તેમજ પેટાચૂંટણીને લઇને સરકારી કામકાજની તૈયારીઓને આખરી ઓપ આપવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
સ્વચ્છતાને લઇને સીએમ વિજય રૂપાણીને એવોર્ડ
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છતાને લઈને અભિયાન ચાલી રહ્યો છે. ગઇકાલે અમદાવાદ ખાતે સ્વચ્છતાને લઈને સીએમ વિજય રૂપાણીને એવોર્ડ મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીના હસ્તે સીએમ રૂપાણીને સ્વચ્છતાને લઈને એવોર્ડ આપ્યો હતો. રાજ્યમાં 37 લાખથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે અને 2 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત ખુલ્લામાં શૌચ મુક્તનું છઠ્ઠું રાજ્ય બન્યું છે.