કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દારૂબંધી મામલે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યાં હતા. અશોક ગેહલોતે ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાતો હોવાનું અને ઘરે ઘરે દારૂ પીવાતો હોવાનું નિવેદન આપ્યું હતું. જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વળતો જવાબ આપતા કહ્યું છે કે અશોક ગેહલોતે ગુજરાતનું અપમાન કર્યું છે, માફી માંગે.
અશોક ગેહલોતના નિવેદન પર CM રૂપાણીની પ્રતિક્રિયા
અશોક ગેહલોતે તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઈએ
કોંગ્રેસે ગુજરાતનુ અપમાન કર્યુ છે
CM વિજય રૂપાણીએ ગેહલોતના નિવેદન પર આપી પ્રતિક્રિયા
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસના લોકેને ગાંધી ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી. રાજસ્થાનની જનતા દારૂબંધી ઇચ્છતી હતી, કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું છે. અશોક ગેહલોતે તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે ચૂંટણીઓમાં હારના કારણે ગેહલોત આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે. કોંગ્રેસને સરદાર કે ગાંધીજી ગમતા નથી અને ગુજરાતીઓને દારૂડિયા કહ્યા છે. જેથી ગુજરાત કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે.
અશોક ગેહલતો દારૂબંધી મામલે રાજ્ય સરકાર પર કર્યાં હતા પ્રહાર
રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. જેમાં અશોક ગેહલોતે આરોપ લગાવતાં કહ્યું કે દેશમાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં પીવાઇ રહ્યો છે. જ્યાં સુધી સરકાર ગેરકાયદે દારૂ અને બનાવટી દારૂના અડ્ડાઓ પર કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી પ્રતિબંધનો કોઇ જ અર્થ નથી.