બનાસકાંઠાઃ જિલ્લાના થરાદના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરબતભાઈ પટેલના ઘરે સામાજીક પ્રસંગ હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી શંકરભાઇ ચૌધરી સહિતના રાજકીય અગ્રણીઓ સાથે રાજ્યમંત્રી પરબતભાઇના વતન ભાચર ગામે પરબતભાઇ પટેલની પૌત્રીના લગ્નમાં નવ દમપ્તિને આશીર્વાદ આપ્યા હતા.
મહત્વનું છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે 11 વાગ્યે થરાદ હેલિપેડથી બાય ગાડીમાં ચુસ્ત ફાકલા અને કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી શંકરભાઇ ચૌધરી સહિતના રાજકીય અગ્રણીઓ રાજ્ય મંત્રીના વતન ભાચર ગામે સભાસ્થળે પરબતભાઇ પટેલની પૌત્રીના લગ્નમાં આવેલ મહેમાનો અને જિલ્લા અને તાલુકાના અધિકારીઓ અને પદાઆધિકારીઓ લગ્ન મંડપમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ નવદંપતિને આશીર્વાદ આપ્યા અને રાજ્ય મંત્રીના પરિવાર સાથે ફોટા પડાવ્યા હતા.
થરાદના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી પરબતભાઈ પટેલના ઘરે સામાજીક પ્રસંગ હતો. તેને લઈ છેલ્લા બે દિવસથી થરાદ હેલિપેડથી ભાચર ગામ સુધી બનાસકાંઠા જીલ્લાનો પોલીસ ફાકલો ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ના SP DySP PI PSI સહિત પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.