ગુજરાતના 200થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. થોડા દિવસ અગાઉ ભારત અને પાકિસ્તાને પોતપોતાના દેશોની જેલોમાં બંધ કેદીઓની યાદી એકબીજાને સોંપી હતી. પાકિસ્તાને પોતાની જેલમાં બંધ 55 ભારતીય નાગરિકો અને 227 માછીમારીની યાદી ભારતને સોંપી છે. ભારતે માછીમારોને જલ્દીથી જલ્દી મુક્ત કરવાની માગ કરી છે. ત્યારે પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારો મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
જેલમાં રહેલા માછીમારોના પરિવારને સહાય ચૂકવાશે
પ્રતિ દિન રૂ.300ની સહાય આપવામાં આવશેઃ CM
મૃત્યુ પામેલા માછીમારના પરિવારને રૂ.2 લાખ અપાશે
પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારો મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, પાકિસ્તાન વારંવાર માછીમારોનું અપહરણ કરે છે. પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોના પરિવારને રાજ્ય સરકાર પ્રતિ દિન રૂ.300ની સહાય ચૂકવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, મૃત્યુ પામેલા માછીમારના પરિવારને રૂ.2 લાખ અપાશે. અત્યારે પાકિસ્તાન જેલમાં 218 માછીમારો છે. પાક. જેલમાં રહેલા માછીમારોને છોડાવા કેન્દ્રની મદદ લેવાશે
લાપતા માછીમારોને લઇને પણ CM રૂપાણીએ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લાપતા માછીમાર એક વર્ષ સુધી પરત ન આવે તો સહાય અપાશે. માછીમારને મૃત્યુ પામેલો જાહેર કરી સહાય ચુકવાશે. માછીમારને પરિવારને 2 લાખ રૂપિયાની સહાય અપાશે.