અંબાજીથી લઈને ઉમરગામના આદિવાસી જિલ્લાઓમાં કોંગ્રેસના ગઢને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીએ કમરકસી છે, ત્યારે ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંજાવતી બેટિંગ કરવા રાજ્યના મુખ્યમંત્રી આવીને સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મોદી સાહેબ ખાતા નથી અને ખાવા દેતા નથી.
CM વિજય રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ
મોદી સાહેબ ખાતા નથી અને ખાવા દેતા નથીઃ CM
વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
ગુજરાત રાજ્યની 8 ખાલી પડેલ વિધાનસભાની બેઠક પર ચૂંટણી થતા પ્રચાર-પ્રસારમાં બન્ને રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ લાગી ગઈ છે. ત્યારે ડાંગના આદિવાસી મતદારો પર પંજાની માનસિકતા ભૂસવા માટે ભાજપે તમામ જોર લગાવી દીધું છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ડાંગ જિલ્લામાં સભા સંબોધી હતી. જેમાં એક હજાર જેટલા લોકો સભા મંડપમાં સામાજિક અંતર સાથે બેઠા હતા. વિજય રૂપાણીએ આવતાની સાથે જ કોંગ્રેસ પર તીખા પ્રહારો કરીને કોંગ્રેસ તૂટી જશે અને ધીમે ધીમે હજી કોંગ્રેસીઓ ભાજપામાં જોડાવવાની વાતો ઉચ્ચારી હતી.
મોદી સાહેબ ખાતા નથી અને ખાવા દેતા નથીઃ CM
ડાંગના લશ્કરિયા ખાતે મુખ્યમંત્રી રૂપાણીની જાહેરસભા સંબોધી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી નિષ્ફળ નેતા હોવાના પ્રહાર કર્યા હતા. રૂપાણીએ કહ્યું કે, ચૂંટણી આવશે-જશે અને કોંગ્રેસ તૂટતી જશે. હજી પણ કોંગ્રેસના ઘણા લોકો આવશે. કોંગ્રેસની કબર પર ખીલો મારી દફનાવવાનો સમય આવ્યો છે. કોંગ્રેસના દલાલો રૂપિયા ખાતા હતા. મોદી સાહેબ ખાતા નથી અને ખાવા દેતા નથી. આદિવાસીઓ સામે કોંગ્રેસે રાજકારણ ચલાવ્યું છે. જળ, જંગલ, જમીન આપવાનું કામ ભાજપે કર્યું છે.
તેવામાં રાજ્યની પેટાચૂંટણી બાદ પણ કોંગ્રેસમાં ભંગાણ પડવાના CMએ એંધાણ આપ્યા છે. તો બીજી તરફ સીઆર પાટીલે કહ્યુ મારા આવ્યા બાદ કોઈ MLAની નથી થઈ ખરીદી. પેટાચૂંટણી પહેલા નવા નવા નિવેદનોથી રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે.