મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. ત્યારે કોરોનાને રોકવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારે સખ્ત દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આજ રાત્રે 8 વાગ્યાથી સખ્ત પ્રતિબંધો લાગુ થશે.
મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા ઉદ્ધવ સરકાર સખ્ત
આજથી એક મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધ
15 દિવસ સુધી મહારાષ્ટ્રમાં રહેશે કર્ફ્યૂ
ઉલ્લેખનીય છે કે, આજથી ‘બ્રેક ધ ચેઇન’ અભિયાન શરૂ થશે.જરૂરી સેવાઓ છોડી તમામ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 15 દિવસ સુધી ફક્ત જરૂરી સેવાઓ ચાલું રહેશે. જરૂરિયાત વગર ક્યાંય પણ આવવા-જવાનું બંધ રહેશે.
આખા રાજ્યમાં કલમ 144 લાગુ રહેશે
લોકલ અને અન્ય બસો ચાલતી રહેશે. ઑટો-ટેક્સીની સેવાઓ પણ ચાલું રહેશે. બેંકના કામકાજ પણ ચાલું રહેશે.તો સીએમ ઉદ્ધવ ઠાકરેએ સાડા પાંચ હજાર કરોડના આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે. જેમાં 12 લાખ મજૂરોને 1500-1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તો આ સાથે જ સમગ્ર રાજ્યમાં આખા રાજ્યમાં કલમ 144 લાગુ રહેશે.
સીએમ ઠાકરેની મહત્વની જાહેરાતો
- રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આગામી 15 દિવસ સુધી, સમગ્ર રાજ્યમાં બિનજરૂરી ફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ વ્યક્તિને જરૂરી કામ કરવામાં આવે ત્યારે જ ઘર છોડવું.
- ઈ-કોમર્સ અને પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. હોટલ ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા ચાલુ રહેશે.
- મહારાષ્ટ્રમાં 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયાની આર્થિક મદદ આપવાની CM ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત
- રાજ્યમાં આવશ્યક સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે. જાહેર બસ સેવા જેવી ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ નહીં થાય
- ઈ-કોમર્સ અને મીડિયા ચાલુ રહેશે
- હોટેલ અને રેસ્ટોરન્ટ હોમ ડિલીવરી અને ટેક-અવે માટે ખુલ્લી રહેશે.
સંપૂર્ણ રાજ્યમાં બિનજરૂરી આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. સવારે 7થી રાત્રે 8 સુધી જરૂરી સેવાઓ ચાલુ રહેશે. ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહેશે. પરંતુ આ તમામ સેવાઓ જરૂરી કામકાજ માટે જ રહેશે. દરેક ઓફિસો અને સંસ્થાનો 15 દિવસ સુધી સંપૂર્ણ રીતે બંધ કરવાની રહેશે.
5500 કરોડનું પેકેજ તૈયાર કર્યુ છે : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયાની આર્થિક મદદ આપવાની CM ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત. રિક્ષાવાળાઓને પણ 1500 રૂપિયાની મદદ અપાશે. આ ઉપરાંત આદિવાસીઓને પણ 2000 રૂપિયાની આર્થિક મદદ કરાશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે 3300 કરોડ રૂપિયા માત્ર કોવિડ સંબંધિત સુવિધાઓ માટે અલગથી રાખ્યાં છે. 5500 કરોડ આર્થિક મદદનું પેકેજ ઉદ્ધવ સરકારે તૈયાર કર્યુ છે.સીએમ ઠાકરેએ મોદી સરકારને એવી પણ અપીલ કરી કે મહારાષ્ટ્રને હજુ પણ ઓક્સિજનની ઘણી જરુર છે તેથી એરફોર્સ દ્વારા મંગાવવાની મંજૂરી આપવામાં આવે. ઠાકરેએ કહ્યું કે આપણે ક્યાં સુધી ચર્ચા કરતા રહીશું. આ સમય એવો છે કે આપણે કંઈક કરવું પડશે નહીતર સમય હાથમાંથી નીકળી જશે તો પછી સ્થિતિ સંભાળવી અઘરી બની જશે.
જીએસટી રિટર્નની ડેડલાઈન ત્રણ મહિના લંબાવવામાં આવે
તેમણે કહ્યું કે અમે પ્રધાનમંત્રીને વિનંતી કરીએ છીએ કે અમને ઓક્સિજન પુરો પાડવામાં આવે. અમારી એવી પણ માંગ છે કે સડક માર્ગે તો ઓક્સિજન આવી રહ્યો છે પરંતુ હવે હવાઈ માર્ગે પણ ઓક્સિજન પહોંચાડવામાં આવે. તેમાં એરફોર્સની મદદ લેવા અંગે પ્રધાનમંત્રીને પૂછ્યું છે. અમે પ્રધાનમંત્રી પાસે એવી પણ માગ કરી છે કે પ્રદેશમાં જીએસટી રિટર્ન ફાઈલ કરવા માટે લઘુ ઉદ્યોગો માટે ત્રણ મહિનાની ડેડલાઈન લંબાવવામાં આવે.
નવા દૈનિક કેસ વધતાં જાય છે : સરકાર
મંત્રાલયે કહ્યું કે દેશમાં નવા દૈનિક કેસ સતત વધતા જાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આ પછી ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં નવા કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 13,500 કેસ નોંધાયા છે. એકલા મહારાષ્ટ્રમાં 44.78 ટકા કેસ છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તમિળનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, કેરળ, તેલંગાણા, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ - સોળ રાજ્યોમાં નવા દૈનિક કેસ વધી રહ્યાં છે. દેશમાં સ્વસ્થ લોકોની સંખ્યા 1,22,53,697 છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 97,168 લોકો સ્વસ્થ થયા છે.
આજે PM મોદી પણ રાજ્યપાલો સાથે કરવાના છે બેઠક
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ચિંતાજનક સ્પીડ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે બેઠક કરશે.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આ બેઠકમાં ભાગ લેશે. તમામ રાજ્યોના રાજ્યપાલ સાથે પ્રધાનમંત્રીની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે હવે મહારાષ્ટ્ર પછી, બીજા ઘણા રાજ્યોમાં પણ કોરોના બેકાબૂ બની રહ્યા છે. લગભગ તમામ મોટા રાજ્યોમાં, આ વખતે કોરોના કેસને લઈને ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.