મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે જેને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
પરમબીરસિંહની અરજી પર આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ
100 કરોડની ઉઘરાણીનો આરોપ
પરમબીરસિંહની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે એક અરજી કરી છે. જેમાં અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે સુનાવણી હાથ ધરાશે. પરમબીરસિંહે 100 કરોડની ઉઘરાણીનો આરોપ લગાવ્યો છે. દેશમુખે આ કામ સચિન વાજેને સોંપ્યું હોવાનો આરોપ એક પત્રમાં કર્યો હતો. જે બાદ પરમબીરસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને CBI તપાસની માગણી કરી છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે મંગળવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી અનિલ દેશમુખની બેઠક થઈ હતી. આ સમયે બંને નેતાઓની વચ્ચે પોલિસ ઓફિસર રશ્મિ શુક્લાના રિપોર્ટને લઈને પણ ચર્ચા થઈ હતી. અહીં દેશમુખની વિરુદ્ધમાં પરમબીર સિંહની યાચિકા પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે.
બેઠકમાં આ રિપોર્ટ પર થઈ ચર્ચા
સીએમ અને દેશમુખની મીટિંગને લઈને પહેલાથી ચર્ચા હતી કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની વચ્ચે ડીજી સુબોધ જાયસવાલ દ્વારા મોકલાયેલા રિપોર્ટ પર ચર્ચા થશે પણ મળતી માહિતિ અનુસાર રશ્મિ શુક્લાના રિપોર્ટ પર ચર્ચા કરાઈ હતી. રિપોર્ટ થર્ડ પાર્ટીની વાત પર આધારિત છે. ગૃહમંત્રી સંબંધિત કર્મચારીઓની સાથે વાત કરી તો તપાસને લઈને કોઈ ખાસ સૂબત મળ્યા નથી અને તે સમયે કોઈની ટ્રાન્સફર પણ કરાઈ નથી.
ફડણવીસે કર્યો હતો રશ્મિના રિપોર્ટનો ઉલ્લેખ
જે પણ ટ્રાન્સફર થયા તેમાં પોલિસ એસ્ટૈબ્લિશમન્ટ બોર્ડના દરેક સભ્યોના સાઈન હતા. દરેક સભ્યોએ મહાનિર્દેશક અને અન્ય અનેક સાઈન કર્યા હતા. રશ્મિ શુક્લાના રિપોર્ટ અનુસાર અનેક ટ્રાન્સફર કરાયા નથી પણ આ સંબંધમાં કોઈ કાર્યવાહી થઈ નથી. ફડણવીસે એ લેટરનો ઉલ્લેખ કર્યો જે રાજ્યના ઈન્ટેલિજન્સ ઓફિસર રશ્મિ શુક્લાએ લખ્યો છે. તેમાં રશ્મિએ પોલિસના કેટલાક મોટા ઓફિસર અને અધિકારીઓના ટ્રાન્સફર- પોસ્ટિંગના રેકેટમાં સામેલ હોવાનો દાવો કર્યો છે. પુરાવા રૂપે કેટલાક ફોન રેકોર્ડિંગની વાત પણ કરી છે.
28 પોલિસ ઇન્સ્પેક્ટરના ટ્રાન્સફર
મુંબઈ એન્ટાલિયા કેસ અને મનસુખ હિરેન હત્યાકાંડ બાદ મુંબઈ પોલિસની ક્રાઈમ બ્રાન્ચના અનેક ઓફિસર પર તવાઈ આવી. તેમની ફેરબદલ કરાઈ. 28 પોલીસ ઓફિસર સિવાય 16 એપીઆઈ અને સાથે જ 19 પોલિસ સબઈન્સ્પેક્ટરને ટ્રાન્સફર કરાયા છે.
પરમબીરસિંહની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરી છે અરજી
ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવ્યા છે ભ્રષ્ટાચારના આરોપ
સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે હાથ ધરાશે સુનાવણી
પરમબીરસિંહે 100 કરોડની ઉઘરાણી કરાવવાનો લગાવ્યો છે આરોપ
સચિન વાજેને 100 કરોડનો ટાર્ગેટ આપ્યો હોવાનો આરોપ
પરમબીરસિંહે નિષ્પક્ષ અને સ્વતંત્ર CBI તપાસની કરી છે માગણી
પરમબીરસિંહે તેમના ટ્રાન્સફર પર રોક લગાવવા માટે પણ કરી છે માગ