PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રી સાથે બર્ચ્યૂઅલ બેઠક યોજી હતી આ બેઠકમાં કોરોના મહામારીને સમીક્ષા કરવામાં આવી અને આગામી ત્રીજી લહેરને અટકવવા રાજ્યોના મુખ્યમંત્રીઓનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો
PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રી સાથે બર્ચ્યૂઅલ બેઠક
કોરોના મહામારીને લઈ સમીક્ષા કરવા માટે યોજાઈ બેઠક
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ PM મોદી પાસે કરી આ માંગ
PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રી સાથે બર્ચ્યૂઅલ બેઠક યોજી હતી આ બેઠકમાં કોરોના મહામારીને સમીક્ષા કરવામાં આવી અને આગામી ત્રીજી લહેરને અટકવવા અને ઓછી જાનહાનિ થયા તે માટે રાજ્યોના મુખ્યમંત્રીઓના અભિપ્રાયો લેવામાં આવ્યા અને કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા કેવા પ્રકારી કામગીરી કરી શકાય તે વિષે મુખ્યમંત્રીઓને પોતાની વિચારો રજૂ કર્યા હતા.
PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રી સાથે બર્ચ્યૂઅલ બેઠક
કોરોના કેસ અટકાવવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી પાસે મદદ માંગી છે. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે સરકાર કોરોના મહામારીના સંકટથી ઘરેયેલી છે, ત્યારે સામાજીક, ધાર્મિક અને રાજકારણને લગતા કાર્યક્રમોમાં થતી ભીડને અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક રાષ્ટ્રીય નીતિ બનાવવી જોઈએ. મહત્વનું છે કોરોના મહામારીમાં જાહેર સ્થળોએ થતા જમાવડાને દેશ માટે મોટો પડકાર છે. મહત્વનું છે કે કોરોનાને લઈ વડાપ્રધાન મોદીએ કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે શુક્રવારે એક વર્ચ્યૂઅલ બેઠક બોલાવી હતી જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વડાપ્રધાનને આ વાત પર ધ્યાન દોર્યું હતું. આ વર્ચ્યૂઅલ બેઠક બેઠકમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા.
કોરોના મહામારીને લઈ સમીક્ષા કરવા માટે યોજાઈ બેઠક
ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને પોતાની વાત રજૂ કરતા કહ્યું કે સામાજિક, રાજકીય અને ધાર્મિક ઉદ્દેશ્યથી જાહેર સ્થળ પર મોટી સંખ્યમાં લોકો એકત્રિત થતા હોય છે ત્યારે આવા કાર્યક્રમમોમાં જમાવડા થતા અટકાવવા એક રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવે જેથી કોરોનાની ફેલાતો અટકાલી શકાય.કોરોનાના મહામારીમાં ઉપયોગી વેક્સિનની ફાળવણી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ દર મહિને ત્રણ કરોડ વેક્સિન આપવામાં આવે તેવી વડાપ્રધાન મોદી પાસે માંગ કરી છે. જેથી રાજ્યમાં વેક્સિનેશન ઝડપી બનાવી શકાય.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ PM મોદી પાસે કરી આ માંગ
મહારાષ્ટ્રમાં સીએમ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ઉદ્ધવ સરકારે કોરોની બીજી લહેરમાં કરેલી કામગીરીને લઈ વડાપ્રધાન મોદીને માહિતગાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં ત્રીજી લહેરનો સામનો કરવા માટે રાજ્ય સરકારે ચોક્કસ નીતિ પણ બનાવી છે. ઉદ્ધવ ઠાકરે એ વડાપ્રધાન મોદીને જણાવ્યું કે વર્તમાન સમયમાં કોરોના કેસની સંખ્યમાં અને મુત્યું દરમાં ઘટાડો આવ્યો છે અને રાજ્ય સરકાર તેમાં વધુ સારુ કામ કરવાની યોજના તરફ આગળ વધી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા એક રૂપરેખા તૈયાર કરવામાં આવે
ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થયું છે પરતું હજુ પણ રાજ્યમાં કોરોનાનો ખતરો તોડાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે અને બહાર જઈની ખરીદી પણ કરી રહ્યા છે. જેથી સાર્વજનિક અને જાહેર સ્થળોએ ભીડ એકઠી થઈ રહી છે. લોકો સમજ્યા અને વિચાર્યા બજારોમાં મુક્ત રીતે ફરી રહ્યા છે અને ફરવા જઈ રહ્યા છે. જે ગંભીર બેદરકારી છે તેમજ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ભીડ એકઠી થઈ રહી છે. ત્યારે આવા જમાવડા થતા રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક રૂપરેખા તૈયાર કરવામાં આવે અને એક રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવે તેવી માંગ ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવી હતી.