મહારાષ્ટ્રમાં 30 જૂન બાદ લૉકડાઉન યથાવત રહેશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધતા આ સૂચન કર્યું છે. કોરોના વાયરસના વધી રહેલા કેસના પગલે ઉદ્ધવ સરકારે આ નિર્ણય લીધો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા લૉકડાઉન જરૂરી છે.
Unlock 2.0ની શરૂઆત પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે હાલ લૉકડાઉન પૂર્ણ કરવાની કોઈ યોજના નથી. આ 30 જૂન બાદ પણ યથાવત રહેશે. ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જનતા સાથે કોરોનાની પરિસ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ પર વાત કરી. ઉદ્ધવ ઠાકરેએ આ વાત પર ભાર આપ્યો કે મહારાષ્ટ્રમાં આવનારા સમયમાં કોરોનાના દર્દીઓ વધશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શહેરો ખુલવાથી લોકો એકબીજાના મળી રહ્યા છે. જેના કારણે કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આને જોતા અમે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી છે.
ઉદ્ધવ ઠાકરેએ લૉકડાઉનમાં છૂટછાટના પણ સંકેત આપ્યા
જો કે, બીજી તરફ તેમણે લોકડાઉનમાં વધુ છુટ આપવાના પણ સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 જૂન સુધી લૉકડાઉનની વાત કહી છે. હવે ધીરે ધીરે અમે સુવિધાઓને ખોલવાની કોશિશ કરી રહ્યા છે. પરંતું હાલ લૉકડાઉન પૂર્ણ કરાય તેમ નથી અને બધુ એક સાથે ખોલવામાં પણ નહીં આવે.