મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કહ્યું કે રાજ્યમાં હાથરસ ગેંગરેપ જેવી ઘટનાઓને સહન કરાશે નહીં. જે મહિલાઓના વિરુદ્ધમાં અપરાધમાં જોડાયેલા હશે તેને કઠોર સજા અપાશે. ઉત્તરપ્રદેશના હાથરસની 20 વર્ષની દલિત યુવતી સાથે 14 સપ્ટેમ્બરે 4 વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું અને મંગળવારે તેનું મોત થયું તેને લઈને દેશમાં આક્રોશ છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નિવેદન આવ્યું છે.
ઠાકરેએ નવ ગઠિત મીરા- ભાયંદર વસઈ વિરાર પોલીસ સ્ટેશનનું ઓનલાઈન ઉદ્ધાટન કરતાં આ ટિપ્પણી કરી હતી. તેઓએ કહ્યું કે જ્યારે આવી ઘટનાઓ ઉત્તરપ્રદેશમાં બને છે તો અમે સામાન્ય રીતે થોડા સમય માટે તેની પર ચર્ચા કરીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ. પણ મહારાષ્ટ્રમામં આવી ઘટનાઓ થવા દેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ કહ્યું હાથરસ જેવી ઘટનાઓ મહારાષ્ટ્રમાં ક્યારેય સહન નહીં કરાય. દુષ્કર્મ કે છેડછાડ જેવા મહિલાઓના વિરુદ્ધના અપરાધને કઠોરતાથી પગલાં લેવાશે.
સીએમ ઠાકરેએ કહી આ વાત
ઠાકરેએ કહ્યું કે પોલીસનો ડર હોવો જોઈએ અને તેમના ક્ષેત્રમાં આવી અપરાધિક ઘટનાઓને નકારી દેવી જોઈએ, પોલીસ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ક્યાંય પોલીસ ન હોય, દેખાય નહીં તો પણ લોકો સુરક્ષિતતા અનુભવવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસમાં પીડિત પરિવારને મળવા જઈ રહ્યા હતા ત્યારે યમુના એક્સપ્રેસ વે પર રોકવામાં આવ્યા. રાહુલ - પ્રિયંકાની સાથે પોલીસે ધક્કા મુક્કી કરી અને તેમને કસ્ટડીમાં લીધા. રાહુલ ગાંધીએ પોલીસ પર લાઠીચાર્જનો આરોપ લગાવ્યો છે. પોલીસે તેમના હાથરસની જાણકારી આવ્યા બાદ કહ્યું કે જિલ્લામાં 1 સપ્ટેમ્બરથી કોરોના વાયરસને કારણે કલમ 144 લાગૂ કરવામાં આવી છે. જેને 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે.