મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એમએલસી નિયુક્ત કરવા માટે મહારાષ્ટ્ર સરકારે કેબિનેટથી બે વાર પ્રસ્તાવ પાસ કરીને મોકલ્યો છે, જોકે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લીધો નથી. તેના કારણે બંધારણીય સંકટ ઘેરાયુ જઇ રહ્યું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે તણાવ બાદ મુખ્યંમત્રી ઉદ્ધવ ઠાકરે મંગળવારની રાત્રે પીએમ મોદીને ફોન કરી રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી છે.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ અત્યાર સુધીમાં સરકારના પ્રસ્તાવ પર કોઇ નિર્ણય નથી લીધો
સૂત્રો મુજબ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને ફોન કરીને મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ પર વાતચીત કરી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે કહ્યું કે આ મહત્વપૂર્ણ સમયમાં રાજયમાં રાજકીય અસ્થિતરતા યોગ્ય નથી. તેનાથી રાજ્યમાં ખોટો સંદેશ જશે, જેનાથી બચવું જોઇએ. તેના પર પીએમ મોદીએ ઉદ્ધવ ઠાકરેને આશ્વાસન આપ્યું છે કે તેઓ જલ્દી જ આ મામલાને ધ્યાને લેશે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન મંગળવારે ઉદ્ધવ ઠાકરેને વિધાનસભાના સદસ્ય નામાંકિત કરવાનો પ્રસ્તાવને લઇને મહા વિકાસ અઘાડી (MVA)નું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યું. આ મામલામાં રાજ્ય કેબિનેટે સોમવારે સાંજે રાજ્યપાલને બીજીવાર પ્રસ્તાવ મોકલ્યો હતો. જેમા ઉદ્ધવ ઠાકરેને MLC માટે નામાંકિત કરવાનો આગ્રહ કરાયો છે. જોકે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ અત્યાર સુધીમાં સરકારના પ્રસ્તાવ પર કોઇ નિર્ણય નથી લીધો.
ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર, 2019ને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, ત્યારે તેઓ વિધાનસભાના કોઇપણ ગૃહના સદસ્ય નહોતા. એવામાં બંધારણની કલમ 164 (4) અનુસાર ઉદ્ધવ ઠાકરેને 6 મહિનામાં રાજ્યના કોઇપણ ગૃહના સદસ્ય હોવું અનિવાર્ય છે. એવામાં ઉદ્ધવ ઠાકરેને પોતાની મુખ્યમંત્રીની ખુરશી બચાવી રાખવા માટે 28 મે પહેલા વિધાનસભાના સદસ્ય બનવું જરૂરી છે.
રાજ્યપાલે ન લીધો કોઇ નિર્ણય
આ મામલાને લઇને મહારાષ્ટ્ર સરકારે રાજ્યપાલ દ્વારા નામાંકિત થનારી વિધાનસભાના ઉદ્ધવ ઠાકરેના નામને રાજભવન મોકલ્યું હતું. પરંતુ ગવર્નરે તેના પર કોઇ નિર્ણય ન લીધો. તેને પગલે મહારાષ્ટ્રમાં બંધારણીય સંકટ ઘેરાતુ જઇ રહ્યું છે. આ કારણ છે કે ઉદ્ધવ ઠાકરેએ પણ પીએમ મોદી સાથે આ મામલે વાતચીત કરી છે અને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.