મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. મહામારીને નિયંત્રણમાં લેવા મુદ્દે સર્વદળીય બેઠક બોલાવી છે જેમાં લૉકડાઉન લગાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે ત્યારે ઠાકરે સરકારના જ એક મંત્રીએ લૉકડાઉનની માગ ઉચ્ચારી છે.
આવતીકાલે યોજાશે ઠાકરે સરકારની બેઠક
ઠાકરે સરકારના મંત્રીએ લૉકડાઉનની કરી માગ
કહ્યું- રાજ્યમાં 3 અઠવાડિયાનું લાગે લૉકડાઉન
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી વિજય વડેટ્ટીવારે મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનને સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, દરરોજ આપણે 50થી60 કેસ જોઇએ રહ્યા છીએ. હાલ રાજ્યમાં 5.31 લાથ એક્ટિવ કેસ છે. જો આવી જ રીતે વધારો-ઘટાડો થતો રહ્યો તો મહારાષ્ટ્રમાં 10 લાખ કેસ થઇ જશે.
3 અઠવાડિયાનું લાગે લૉકડાઉન
તેમણે કહ્યું કે, પહેલો વિકલ્પ આ ચેનને તોડવાનો છે. બીજો ભીડથી બચવાનું છે અને ત્રીજો વિકલ્પ લોકો પોતે જ ચેતીને ચાલે. જો આપણે ચેન તોડવી છે તો અડધી દુકાનો અને સંસ્થાઓ ખુલ્લી રાખવી સંભવ નથી. વિપક્ષે સોમવારે દુકાનો ખુલ્લી રાખવાનો પક્ષ લીધો હતો.
3 અઠવાડિયા સુધી લૉકડાઉન લાદવાનું મંત્રીનું નિવેદન
તો મંત્રી વિજય વડેટ્ટીવારે કહ્યું કે, આજે મેં રાજ્યમાં 3 અઠવાડિયા સુધી લૉકડાઉન લાદવામાં આવે તેવું સૂચન કર્યું છે. હાલ આપણી પાસે વીકેન્ડ લૉકડાઉન છે, પરંતુ તેમ છતાં શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ઘરમાં શાકભાજી અને કિરાણાનો સામાન પહોંચાડવાની વ્યવસ્થા હોવી જોઇએ. મેં મારી વાત રજૂ કરી છે અને મને લાગે છે કે, સરકાર ઝડથી કોઇ નિર્ણય લેશે.
5 રાજ્યોમાં કોરોનાએ કર્યા હાલ બેહાલ
છત્તીસગઢમાં 18 સપ્ટેમ્બર 2020ના સૌથી વધારે કેસ 3809 કેસ આવ્યા હતા. આ વર્ષે 7 એપ્રિલના રોજ 10310 કોરોનાના કેસ આવ્યા છે. ગયા વર્ષ કરતા 63 ટકા વધારે દર્દીઓની સંખ્યા વધી છે. આવામાં મહારાષ્ટ્રમાં 58 ટકા, ગુજરાતમાં 55 ટકા, મધ્ય પ્રદેશમાં 36 ટકા અને પંજાબમાં 5 ટકા દર્દીઓ વધ્યા છે.
સમગ્ર દેશના 50 ટકા કેસ મહારાષ્ટ્રમાં
સમગ્ર દેશમાં જેટલા નવા કોરોનાના દર્દીઓ આવી રહ્યાં છે તેના 50 ટકા કેસ મહારાષ્ટ્રમાં છે. છત્તીસગઢમાં 50 ટકા કેસ રાયપુર અને દુર્ગમાંથી છે. ગુજરાતમાં 55 ટકા કેસ અમદાવાદ, સુરત અને વડાદરાથી આવી રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં 42 ટકા કેસ માત્ર ભોપાલ અને ઇન્દોરમાં છે.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ (9મી એપ્રિલ)
ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 1,31,968 કેસ આવતા હડકંપ મચી ગયો છે. પહેલીવાર આટલા બધા કેસ સામે આવ્યા છે જ્યારે 24 જ કલાકમાં 780 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,79,608 થઈ ગઈ છે.