મોરબીમાં ગોઝારી દુર્ઘટના પછી શહેર આંસુઓ સાથે આખી રાત જાગતું રહ્યું છે. આ અંગે જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મોટા નેતાઓ પણ મોરબી ખાતે દોડી ગયા હતા. મોરબી દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.
મોરબી દુર્ઘટના બાદ તપાસ અંગે હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન
મોરબી હોનારતમાં સાઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ: સંઘવી
મુખ્યમંત્રીએ આખી રાત મદદ માટે કર્યા પ્રયાસઃ હર્ષ સંઘવી
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની આ રૂહકાંપ ઘટનામાં 141થી વધુ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો છે અને મોરબી પંથક હાલ મરણચીસોથી ગુંજી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંગે જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મોટા નેતાઓ પણ મોરબી ખાતે દોડી ગયા હતા. તો ગૃહ રાજ્યમંત્રી પણ મોરબી પહોંચી ગયા છે. તેમણે મોરબીમાં દુર્ઘટના સ્થળે પહોંચી ઘટનાનું નિરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત હર્ષ સંઘવીએ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી છે.
CM ભૂપેન્દ્ર પટેલે મોરબી પહોંચી અધિકારીઓ સાથે કરી બેઠક: હર્ષ સંઘવી
મોરબી દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગઈકાલે રવિવાર હોવાથી લોકો પરિવાર સાથે ઝૂલતા પૂલ પર ફરવા આવ્યા હતા. આ દરમિયાન ઘટના બની હતી. જેથી 6.45થી મોરબી શહેર ફાયર બ્રિગેડ, એમ્બ્યૂલન્સ, ડૉક્ટર અને સરકારી તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. જે બાદ મોરબીના નાગરિકોએ સરકારી તંત્ર સાથે રાહત કામગીરીમાં જોડાયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ લોકોને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવાની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારે લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજકોટ અને તમામ જિલ્લાના કલેક્ટરને હોસ્પિટલ, ડૉક્ટર અને એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
PM મોદી અને અમિત શાહે આ ઘટનાનું સતત નિરીક્ષણ કર્યુંઃ સંઘવી
સાથે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્યમંત્રીને તાત્કાલિક ફોન કરીને રેસ્ક્યૂ ઑપરેશનમાં તમામ દિશાથી મદદ કરી હતી. ગણતરીના કલાકોમાં NDRF, નેવી, આર્મી, એરફોર્સ સહિત વિવિધ ફોર્સમાં જોડાયેલા 200થી વધારે લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશનનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત અત્યારે પણ મુખ્યમંત્રી મોરબીમાં કલેક્ટર કચેરી ખાતેથી નિરીક્ષણ કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય ગૃહમંત્રી આ ઘટનાનું નિરીક્ષણ કરીને તમામ પ્રકારની મદદ પહોંચાડવામાં મદદગાર થયા છે.
મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુણેનારો વિરુદ્ધ માં કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જવાબદારો સામે કરાશે કાયદેસરની કાર્યવાહી: ગૃહ રાજ્યમંત્રી
વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, આ બ્રિજનું સમારકામ સંભાળનાર એજન્સી વિરુદ્ધ કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમિનલ કેલ દાખલ કરવામાં કરવામાં આવ્યો છે. જેની તપાસ પણ આજે શરૂ કરવામાં આવશે.
- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
- આખી રાત સેનાની ટુકડીઑ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
- ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
- જલારામ બાપાની જગ્યાની તમામ ડેકોરેશની લાઈટોનો શણગાર ઉતારી લેવાયો
- વીરપુરમાં સંત જલારામ બાપાની 223મી જયંતીની સાદાઈથી ઉજવણી થશે