ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યના પ્રથમ હરોળના નેતાઓ બીજા રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જ્યારે મુખ્યમંત્રી વિજય રૃપાણી શનિવારે મહારાષ્ટ્રમાં અને રવિવારે મધ્યપ્રદેશમાં ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે આજે સીએમ રૂપાણીએ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ભાજપના મનોજ કોટક માટે CM રૂપાણીએ રોડ શો યોજ્યો હતો. જોઇએ સમગ્ર અહેવાલ.
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ભાજપના મનોજ કોટક માટે યોજાયેલ રોડ શો દરમિયાન CM રૂપાણીએ જણાવ્યું કે દેશ PM મોદીના હાથમાં સુરક્ષિત છે અને જનતા ફરી તેમને PM બનાવવા ઈચ્છે છે જંગી બહુમતથી ભાજપ જીતશે. તમને જણાવીએ કે, રોડ શોમાં સીએમ રૂપાણી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.
ઉત્તર-પૂર્વ બેઠક પર કુલ 15.6 લાખ મતદાર છે. જેમાથી 47 ટકા મહારાષ્ટ્રીયન, 20 ટરા મુસ્લમાન, 13 ટકા ગુજરાતી અને મારવાડી મતદાર છે. મનોજ કોટર ત્રણ વાર કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. જેથી ભાજપે મનોજ કોટકને ઉત્તર-પૂર્વ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે
મહત્વનું છે કે CM રૂપાણી આજે એક સભા પણ સંબોધશે. જેમાં CM રૂપાણી ગુજરાતીઓને સંબોધન કરવાના છે. ભાનુશાળી વાડીમાં CM રૂપાણી સંબોધન કરશે અને ત્યાર બાદ મધ્યપ્રદેશમાં પણ એક સભા સંબોધવાની હોવાથી મધ્યપ્રદેશ જવા માટે રવાના થશે.