જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં મતદાન સમાપ્ત થયા બાદ તુરંત જ પોલીસે મીડિયાકર્મીઓ પર હુમલો કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એ કોઈ બનાવ હશે. ક્યાંક છુટક બનાવ હશે. પરંતુ તેને ઉત્તેજન આપવુ ન જોઈએ. પરંતુ અહી સવાલએ છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ મીડીયાએ સવાલ કર્યા ત્યારે સમગ્ર ઘટનાની ખબર પડી છે. અને તેઓ આ ગંભીર ઘટનાને છુટક બનાવ તરીકે ખપાવી રહ્યા છે. જોકે, તેમના દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી છે. ત્યારે જોવુ એ રહ્યું કે મુખ્યમંત્રી આ મામલે કેટલી તપાસ કરે છે અને કેવા પગલા લે છે.