રાજ્યમાં કોરોનાના કારણે નવા નિર્ણયો પણ લેવાયા, રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાના આદેશ કર્યા
બેડ, ટેસ્ટ અને રેમડેસિવિર ત્રણેય વધારવામાં આવ્યા છે: સીએમ રૂપાણી
આગામી દિવસોમાં વધુ બેડ વધારવામાં આવશે.: સીએમ રૂપાણી
સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા સ્ટાફ કામ કરશે
ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું છે. જેમાં નવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાના આદેશ કરી દેવાયા છે. મુખ્યમંત્રીએ કહ્યું, વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે અને ગુજરાતમાં પણ વધ્યા છે. હું દાવા સાથે કહીશ કે, ગુજરાત સરકારે દિવસ રાત જોયા નથી અનેક નિર્ણયો કર્યા છે. સરકાર અને તંત્ર એક વર્ષથી કોરોના વાયરસને પ્રથમ પ્રાથમિકતા આપી છે. ગુજરાત સરકારે તિજોરી ખોલીને જનતાની ચિંતા કરી છે.
ઓફિસમાં 50 ટકા સ્ટાફ
આ સિવાય સીએમ રૂપાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે રાજ્યની સરકારી,અર્ધ સરકારી અને બોર્ડ નિગમ અને ખાનગી હોસ્પિટલમાં 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે.
લગ્નમાં 50 લોકો જ ભેગા થઈ શકશે : સીએમ રૂપાણી
14 એપ્રિલથી ગુજરાતમાં લગ્નમાં વધુમાં વધુ 50 જ લોકોને હવે ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે. સીએમ રૂપાણીએ જાહેરાત કરી કે દરેક પ્રકારના જાહેર સમારંભ અને બર્થડે પાર્ટીઓ પર પ્રતિબંધ કરવામાં આવે છે. એપ્રિલ અને મે મહિનામાં બધા જ તહેરવારોની ઉજવણી પર પ્રતિબંધ રહેશે.
મફતમાં ઈંજેક્શન આપ્યા છે : વિજય રૂપાણી
ગુજરાતમાં આજે દરરોજ છ હજાર કેસ આવી રહ્યા છે ત્યારે સરકારે બધાને સારી સારવાર મળે તે માટે રેમડેસિવિર ઈંજેક્શન પર પહેલા વિચાર કર્યો છે. જાન્યુઆરીમાં 20 હજાર બજારમાં હતા તેમાંથી 10 હજાર સરકારે આપ્યા અને ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે 25 હજાર મફત ઈંજેક્શન આપ્યા છે. રાજ્ય સરકારે 3 લાખ ઈંજેક્શન આપ્યા છે.
રેમડેસિવિર પર આપ્યો જવાબ
વિજય રૂપાણીએ કહ્યું કે હું કેડિલાને અભિનંદન આપીશ જેના કારણે મોટા ભાગના લોકોને ઈંજેક્શન મળી શક્યા. લોકોને કહેવાય માંગુ છું કે ઈંજેક્શન બધાને આપવાની જરૂર નથી, એટલે સરકારે નક્કી કર્યું છે કે કોવિડના સિરિયસ દર્દીઓને પહેલા ઈંજેક્શન આપવામાં આવે. આપણે આશા રાખીએ કે કોરોના કંટ્રોલ આવે, પરંતુ જો કેસ વધે તો આપણે રિસોર્સ નક્કી કરીએ અને તેનો ઉપયોગ કરી શકીએ. સીએમ રૂપાણીએ અપીલ કરતાં કહ્યું કે ડૉક્ટરો કામ વગર પ્રીસ્ક્રિપ્શન ન લખે