રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલથી બે દિવસ રાજકોટની મુલાકાતે આવનાર છે. જેમાં તેમના દ્વારા વિવિધ વિભાગના જુદા-જુદા 175 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે. જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે જો કે મુખ્યપ્રધાનના આગમનને પગલે રાજકોટમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટ જેવા કે એસ્ટ્રોન ચોક પાસે સાયકલ ટ્રેકનું લોકાર્પણ ડી.આઈ.ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનું ખાતમુહૂર્ત જેવા અનેક કામોનું લોકાપર્ણ અને ખાતમુર્હત કરવામાં આવશે.