રાજકોટમાં પત્રકારોને ચેક આપવા મામલે કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે આ ઘટના લોકતંત્ર માટે અને ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ભાજપ સરકાર પોતાના ગોરખધંધા છૂપાવવા નાણા વેડફે છે. અને જાહેરાતો પાછળ બેફામ સરકારી નાણાનો દુરુપયોગ કરવામાં આવે છે. તંત્રને ઉત્સવો માટે નાણા ઉઘરાવવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. ભાજપ સરકારમાં સેવા સદન મેવા સદન બની રહ્યાં છે.
પત્રકારોને ચેક આપવા મામલે કલેક્ટર પર તવાઈ
ભાજપના નેતાઓ મૌન કેમ?
શું છે મામલો?
રાજકોટમાં આવું બને તે શરમની વાત છે
રાજકોટમાં કલેક્ટર દ્વારા પત્રકારોને 50 હજારનો ચેક આપવાના મામલે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા કલેક્ટર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. લલિત કગથરાએ કહ્યું કે આ કાદેયસરની પત્રકારોને લાંચ આપવામાં આવી છે. એટલે કલેક્ટર સામે ફોજદારી કાર્યવાહી થવી જોઇએ. લાંચ લે અને લાંચ આપે તે તમામ ગુનેગાર છે. પત્રકારોને લાંચ આપવી તે ફોજદારી ગુનો બને છે. તેઓએ વધુમાં કહ્યું કે રાજકોટમાં આવું બને તે શરમની વાત છે. ઉજવણીના નામે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે. અને ખોટા ખર્ચા કરવામાં આવે છે. ત્યારે સમગ્ર મામલે તપાસ થવી જોઇએ.
ભાજપના નેતાઓ મૌન કેમ?
રાજકોટમાં પત્રકારોને 50 હજારના ચેક આપવાનો મામલે હાલ વિપક્ષ ભાજપ સરકાર પર નિશાન સાધી રહી છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહી છે. આ સમયે જ્યારે રૂપાણી સરકારના મંત્રી વિભાવરી બેનને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો તો તેમણે મીડિયા સમક્ષ કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું અને મૌન સેવ્યું હતું.
શું છે મામલો?
રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની કરાયેલી ઉજવણીના કવરેજ માટે કલેક્ટર રેમ્યા મોહને અલગ અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના આઠ અખબારોના પત્રકારોને લાંચ પેટે રૂ. 50-50 હજારના ચેક આપ્યા હોવાનું એક પ્રામાણિક પ્રત્રકાર દ્રારા બહાર આવ્યાં બાદ વિપક્ષ આ મુદ્દે રૂપાણી સરકાર પર પ્રહાર કરી રહી છે