ગુજરાત કોરોના વાયરસના આંકડામાં ભારતમાં નંબર 2 પર પહોંચી ચુક્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં કોરોના સંક્રમણના અલગ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ આજે મુખ્યમંત્રી રૂપાણી અધિકારીઓ અને મંત્રીઓ સાથે મળીને કયા ઝોનમાં કેટલી છુટછાટ આપવી તે અંગેની રણનીતિ નક્કી કરશે.
રાજ્યમાં રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોનને લઈ મુખ્યમંત્રી યોજાશે બેઠક
વીડિયો કોન્ફરન્સ મારફતે અધિકારીઓ સાથે યોજાશે બેઠક
બેઠકમાં ક્યાં વિસ્તારને કેવા પ્રકારની છૂટ છાટ અપાશે તેની થશે ચર્ચા
ગુજરાતમાં કોરના વાયરસને લઈને કેન્દ્ર સરકાર દ્વારા 33 જિલ્લાને ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રીન ઝોન વિસ્તારમાં વ્યવસાયિક છૂટ છાંટ મળી શકે છે. ઓરેન્જ ઝોન અને રેડ ઝોનમાં છૂટની રૂપરેખા બેઠકમાં નક્કી થશે.
આ ગ્રીન રેડ અને ઓરેન્જ ઝોન શું છે અને તેના નિયમો કેવા હોય છે એ વિશે થોડુક જાણી લઈએ.
ગ્રીન ઝોન એટલે શું
ગ્રીન ઝોન એટલે કે કોરોના સંક્રમણ મુક્ત વિસ્તાર
અહીં લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુ ખરીદવાની મંજૂરી હોય છે
ખરીદી માટે ઘર બહાર નીકળવાની મંજૂરી મળે છે
ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસટન્સ જળવાય તે જરૂરી
નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે
ઓરેન્જ ઝોન શું છે?
કોરોના સંક્રમણના કેટલાક કેસ હોય ત્યાં ઓરેન્જ ઝોન લાગે
અહીં તંત્ર લોકડાઉન, સીલ કરવા કે અન્ય પગલા લઈ શકે
આ ઝોનમાં સંક્રમણ વાળા વિસ્તારને છોડીને અન્ય વિસ્તારમાં છૂટછાટ હોય
અન્ય વિસ્તારમાં જરૂરી સામાન ખરીદવા લોકો બહાર નીકળી શકે
તંત્ર આ માટે સમય મર્યાદા પણ નક્કી કરી શકે છે
રેડ ઝોનના કેવા છે નિયમ?
રેડ ઝોન એ સૌથી ખતરનાક ઝોન છે
કોરોનાની ઝપેટમાં મોટી માત્રામાં લોકો આવ્યા હોય ત્યાં રેડ ઝોન લાગે
અહીં સંક્રમણ વધવા કે અન્ય જગ્યાએ સંક્રમણ ફેલાવાની શંકા વધુ હોય છે
આવા વિસ્તારોને રેડ ઝોનમાં સામેલ કરવામાં આવે છે
અહીં લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ હોય છે
અહીં લોકો ઘરની બહાર નથી નીકળી શકતા
ઈમરજન્સીની સ્થિતિમાં વ્યક્તિ માત્ર હેલ્પલાઈન પર ફોન કરી શકે છે
તંત્ર પોતાની રીતે એ વ્યક્તિને મદદ કરી શકે છે
રેડ ઝોનમાં તંત્ર જ જરૂરી ચીજવસ્તુનો સપ્લાય કરે છે
લોકોના ઘર સુધી જરૂરી ચીજવસ્તુઓ તંત્ર જ પહોંચાડે છે
રેડ ઝોનમાં લોકો પર પણ ખાસ નજર રાખવામાં આવે છે
અહીં નિમય તોડવા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે
ગુજરાત ભારતમાં બીજા ક્રમે
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 326 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 267 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4721 થઇ છે. જ્યારે આજે 22 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 236 દર્દીઓના મૃત્યુ થયા છે.