ગાંધીનગરઃ કોંગ્રેસે કેરલમાં કરેલ ગાય માતાની હત્યા મુદ્દે CM વિજય રૂપાણીએ ટ્વિટ કર્યુ છે. જેમાં કોંગ્રેસની ટીકા કરતા લખ્યું કે 'કોંગ્રેસે પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું' જ્યારે તેમણે એમ પણ લખ્યું કે 'વિનાશ કાળે વિપરિત બુદ્ધિ' રૂપાણીએ કોંગ્રેસનો વિનાશ થઇ રહ્યો છે તેવું જણાવ્યું હતું. તેમણે ટ્વિટ દ્વારા જણાવ્યું કે 'કોંગ્રેસ ડૂબતી નાવ છે'
સમગ્ર મામલે એ છે કે કે કેરળમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ જાહેરમાં ગૌવધ કરી હતી જેને લઇ સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે રાજકારણ ગરમાયું છે. કન્નૂરમાં યૂથ કોંગ્રેસના કાર્યકરો જાહેરમાં ગાય કાપીને તેનો વીડિયો અપલોડ કરતા આ સમગ્ર ઘટના સામે આવી હતી.