ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી CMO સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી જેમાં CM રૂપાણીએ પણ ગુજરાત અંગેની તમામ માહિતી PM મોદીને જણાવી હતી.
આજ PM સાથે મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી
વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ હતી
CM રૂપાણીએ PM મોદીના રાજ્યની સ્થિતિથી માહિતગાર કર્યા
CMO સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે CM રૂપાણીએ ગુજરાતમાં કોરોનાની સ્થિતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતગાર કર્યા હતા. CM રૂપાણીએ PM મોદીને રિપોર્ટ આપ્યો હતો. જેમાં તેમણે ગુજરાતમાં 61 કોવિડ હોસ્પિટલ અંગેની જાણકારી હતી. જેમાં 22,500 બેડની સુવિધા કરવામાં આવશે.
કોરોનાને કારણે ગુજરાતમાં મૃત્યુ કેમ વધુ તે અંગે પણ ખુલાસો
ગુજરાતમાં કોરોનાથી થતા મોતમાં 85 ટકા મોત કોમોર્બેડિટિ એટલે કે પહેલેથી બીજી કોઈ બીમારીથી પીડાતા હોય જેમ કે બીપી, ડાયાબિટિસ, હાયપટેન્શન જેવા દર્દીઓને કોરોનાનો ચેપ લાગવાથી થયા છે. જ્યારે કોરોનાને કારણે મોટી ઉમંરના વડિલોના જ વધારે મોત થયા છે.
જિલ્લા વાઈસ કેસ અંગે પણ માહિતી આપી હતી
મહાનગરો કોરોનાના હોટસ્પોટ બન્યા છે જ્યારે 3 જિલ્લામાં કેસ નથી 18 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસ છે. આ અંગે પણ માહિતી આપી હતી. 21 જિલ્લામાં પરિસ્થિતિ સારી હોવાનું જણાવ્યું હતુ.
લોકડાઉન અંગે તબક્કાવાર નિર્ણય લેવાશે
ખેડૂતોને છુટ આપાઈ છે જેમાં રવિપાકની લણણી, અને સ્ટોરેજ તેમ જ માર્કેટ સુધી ની સ્થિતિ અને માછીમારોને આપવામાં આવેલી રાહતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ સિવાય માર્કેટિંગ યાર્ડ અને પાક ખરીદી તેમજ ખેડૂતોને મળેલી છૂટ અંગે વાતચીત કરી હતી. ઉદ્યોગોને આપવામાં આવેલી મંજૂરી, બાંધકામને મંજૂરી, દુકાનો ખોલવાની મંજૂરી અંગે પણ જાહેરાત કરી. નાના વેપારી, મધ્યમ વેપીર, મજૂરો, કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને લોકડાઉન એક સાથે ઉઠાવવા કરવા કરતા ધીમે ધીમે તબક્કાવાર કોરોના પોઝિટિવ કેસની તીવ્રતાને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવશે. કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર લોકડાઉન ખોલવામાં આવશે.
શરતી મંજૂરીની કરી વાત
4 મહાનગરો સિવાય દરેક જગ્યાએ દુકાનો શરૂ થઈ શકે તે માટે શરતી મંજૂરી આપવામાં આવી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટસિંગ અને સેન્ટાઈઝર રાખવામાં આવે તો જ તેમને મંજૂરી. સ્વાસ્થ્યને લગતી બેદરકારી જો નહીં રાખે
અનાજ અને રૂા. 1000ની કરી સહાય
50 લાખ BPL કાર્ડ ધારકોના કુંટુબમાં 1000 રૂપિયા જમા કરાવવામાં આવી છે. NSFA કાર્ડ ધારકોને ઘઉં ચોખાનું વિતરણ કરાઈ રહ્યુ છે.
પ્રેસ કોન્ફરન્સના સમયમાં ફેરફાર
CMO સચિવ અશ્વિનીકુમારે જણાવ્યુ હતુ કે હવેથી પત્રકારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દિવસમાં 3 વખત ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજવામાં આવશે.