CM રૂપાણીએ સમભાવ ગ્રુપના રેડિયો TOP FM સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે લોકડાઉન સહિત કોરોના સંકટ સામે રાજ્ય સરકારની તૈયારીઓ મુદ્દે તમામ ઝીણવટભરી વાતચીત કરી હતી. જેમાં મુખ્યત્વે લૉકડાઉન રાજ્યમાં લંબાશે કે નહીં તેના વિશે પણ વાત કરી હતી.
બધા ગુજરાતીઓ મજામાં હશો તેમ કહીને વાતની શરૂઆત કરતા CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, કોરોના સામે લડવા માટે 15મી માર્ચથી જ ગુજરાત સરકારે અનેક એક્શન પ્લાન અને પગલા લેવાનું શરૂ કરી દીધુ હતુ. મારી જવાબદારી છે કે મારા સવા છ કરોડ ભાઈ-બહેન મજામાં હોય. અને તેમના દરેક પ્રશ્નોનું હું નિવારણ આપું.
(CM રૂપાણી સાથે સંવાદનો LIVE VIDEO)
લૉકડાઉન લંબાશે કે નહીં તે વિશે શું કહ્યું?
CM રૂપાણીએ લોકડાઉન લંબાશે કે નહીં તે વિશે વાત કરતા કહ્યું કે આ કેન્દ્ર સરકારનો નિર્ણય છે. આખું ભારત બંધ છે એટલે કેન્દ્ર નિર્ણય લેશે. પણ વિશ્વાસ રાખજો કે જે પણ નિર્ણય હશે તે આપણા હિતમાં હશે. કોરોનાની ચેન તોડવા માટે આ લોકડાઉન છે. પીએમ મોદી પણ કહે છે કે, લોકડાઉનમાં અગવડતા પડી હશે એ બદલ હું માફી માંગુ છું. એટલે ભારત સરકારને નાનામાં નાના માણસની ચિંતા છે. લોકડાઉન બિનજરૂરી નહીં કરવામાં આવે એટલે સમય સંજોગ અને આવનારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે.
15મી એપ્રિલ સુધી આ જવાબ મળી જશે. પરિસ્થિતિ પર નિર્ણય થશે. વિદ્યાર્થીઓ ચિંતા ન કરો. પરીક્ષાની સારી રીતે તૈયારી કરો. પરીક્ષા લેવાય કે ન લેવાય પણ તમારો અભ્યાસ તો તમને કામ આવશે જ.
કોરોના સંકટમાં રાજ્ય સરકારની કેવી છે તૈયારીઓ?
રાજ્ય સરકારની કોરોના વાયરસને પછાડવા માટે તૈયારીઓ વિશે પણ CM રૂપાણીએ વાત કરી હતી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે માત્ર સ્વનો વિચાર નહીં પણ સર્વનો વિચાર જરૂરી છે. સરકારની તૈયારીઓ વિશે જણાવતા કહ્યું કે 7 દિવસમાં અમદાવાદમાં 1200 બેડ, સુરત-વડોદરામાં 500-500 બેડની, રાજકોટમાં 250 બેડની માત્ર કોરોનાની સારવા માટે COVID 19ની જ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. 10 એપ્રિલ સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં 100-100 બેડની હોસ્પિટલ તૈયાર થઈ જશે. 6500 દર્દીઓની સારવાર થઈ શકે એ માટેની સ્પેશ્યલ હોસ્પિટલો તૈયાર છે. બીજી 10000 બેડની હોસ્પિટલની પણ તૈયારીઓ ચાલુ છે. દવા, સ્વાસ્થ્ય કર્મચારીઓ તમામ તૈયારીઓ છે પણ જરૂર પડે તેવી આશા છે.
મેન્ટલ હેલ્થ વિશે શું કહ્યું?
આપત્તિમાંથી આર્શિવાદ કેમ મળે એ સ્પિરિટ સાથે અમારી ટીમ કામ કરી રહી છે. પેનીક બાઈંગ ન કરો. કોરોનાની તાકાત નથી કે આપણી મેન્ટલ હેલ્થને હાની પહોંચાડી શકે. લોકો એટલે સુધીની ચિંતા કરે છે કે, ગલીના કૂતરાને બે સમય મળી રહે, પક્ષીઓને ચણ મળી રહે તેનું કંઈક કરો, કિડિને કણ અને હાથીને મણ મળી રહે. ભગવાન આપણી ચિંતા કરશે.