ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદો બનાવવાની માંગ ઉઠી છે. વડોદરામાં 2 કિસ્સાઓ સામે આવતા કાયદાની માગ ઉઠી છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદોએ આ અંગે સરકારમાં રજૂઆત કરી છે. ત્યારે હવે લવજેહાદ કાયદા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. જોકે કર્ણાટક અને આસામ સરકાર પણ આ કાયદો બનાવવા વિચારી રહી છે.
કરમસદમાં કિસાન સંમેલન દરમિયાન આપ્યુ નિવેદન
અન્ય રાજ્યોમાં વિષય ચર્ચાયો છેઃ CM રૂપાણી
ગુજરાતમાં સમય આવે જરુરથી વિચારીશુંઃ CM રૂપાણી
ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધતા કાયદાની માગ ઉગ્ર બની છે. નેતાઓ અને હિંદુ સંગઠનો દ્વારા રાજ્યમાં લવ જેહાદના કાયદાની માંગ કરવામાં આવી રહી છે. તો સાંસદ અને ધારાસભ્ય દ્વારા રજૂઆત બાદ મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે નિવેદન આપ્યું છે. કરમસદમાં કિસાન સંમેલન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અન્ય રાજ્યોમાં લવ જેહાદ કાયદાનો વિષય ચર્ચાયો છે. ગુજરાતમાં સમય આવે જરૂરથી વિચારીશું. તો લવ જેહાદ કાયદાને લઇ ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ CR પાટીલે કહ્યું કે, લવ જેહાદનો કાયદા માટે હુ પણ સહમત છું. યુવતિઓને ફસાવવામાં આવે છે તેથી આ કાયદો કડક બનવો જોઇએ.
સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવો જ જોઈએ. સંસ્કારી નગરી વડોદરામાં દીકરીઓને ફોસલાવીને લઈ જઈને પરિવર્તન કરવામાં આવે છે તે ખોટું છે. હવે આ દીકરી સમજી ગઈ છે. બે દિવસથી હું પણ આ દીકરીને સમજાવું છું અને એ પણ સમજી ગઈ છે કે જે તેનાથી થયું તે ખોટું થયુ છે. લવજેહાદના કાયદાથી હિન્દુ દીકરીઓને થતો અન્યાય ઘટાડી શકાશે. મુખ્યમંત્રીશ્રીને અમે આ અંગે જરૂર જણાવીશું.
ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ લવ જેહાદ કાયદાની કરી છે માગ
અગાઉ ડભોઈના ભાજપના ધારાસભ્યએ લવ જેહાદનો મુદ્દો છેડ્યો હતો. ભાજપના MLA શૈલેષ મહેતાએ કહ્યું હતું ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધ્યા છે જેથી રાજ્યમાં પણ લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. અમે સરકારને રજૂઆત કરીશું.
મુસ્લિમો પહેલેથી જ બે-ત્રણ પત્ની ધરાવતા હોવા છતાં હિંદુ યુવતીઓને તેમની મજબૂરીનો લાભ ઉઠાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવે છે. આ લવજેહાદનું કૃત્ય કરવા માટે મુસ્લિમ યુવાનોને તેમના સંગઠનો દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ લવ જેહાદ બાબતે ઘણા બધા સંગઠનો તથા હિંદુ સમાજના આગેવાનોએ મારી સમક્ષ રજૂઆત કરી છે. તો ઉત્તરપ્રદેશની સરકારે લવ જેહાદ બાબતે કડકમાં કડક કાયદો બનાવ્યો તેવી રીતે ગુજરાતમાં પણ આવો કાયદો બનવો જોઇએ.