નાગરિકતા કાયદાના વિરોધમાં દેશના અનેક રાજ્યોમાં હિંસા ભડકી છે તેની સાથે ગુજરાતના અમદાવાદ- ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓમાં વિરોધ થઈ રહ્યો છે. વિરોધના પગલે અમુક જિલ્લાઓમાં કલમ 144 લાગૂ કરાઈ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી મીડિયા સાથે વાત કરતાં વિરોધાભાશ નિવેદન આપ્યું કે લોકો આ કાયદાથી ખુશ છે. ભારતીયોના હીતમાં છે આ કાનૂન. કોંગ્રેસ ખોટો વિરોધ કરીને મામલાને વધુ ગંભીર બનાવવાની કોશિશ કરી રહી છે પણ વાસ્તવમાં એવું કશુ છે જ નહીં.
ભારતીય નાગરિકો પર બિલને લઇને કોઇ તકલિફ નહીં પડે
સરકારના હિંમતભર્યા નિર્ણયથી વિરોધીઓ ડઘાઇ ગયા છે
ભ્રમ ફેલાવીને લોકોને ઉશ્કેરી રહ્યાં છે
નાગરિકતા બિલ પર બંધના એલાનને લઈને CM રૂપાણીનું નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે, દેશમાં મોટાભાગના લોકો બિલથી સંતુષ્ટ છે. ભારતીય નાગરિકોને બિલથી કોઈ તકલીફ નહી થાય. સરકારના હિંમતભર્યા નિર્ણયથી વિરોધીઓ ડઘાઈ ગયા છે. બંધ રાખવાના તમામ કાર્યક્રમ નિષ્ફળ ગયા છે. લોકોએ બંધની વાતને અવગણીને રોજીંદી પ્રવૃતિ ચાલુ રાખી છે. વિરોધ કરનારાઓને દેશનું હિત વિચારવુ જોઈએ.
શું કહ્યું CM રૂપાણીએ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, "દેશમાં લોકો બિલથી સંતુષ્ટ છે". "ભારતીયોને બિલથી તકલીફ નથી". "બંધના તમામ કાર્યક્રમ નિષ્ફળ". વિજય રુપાણીનું કહેવું છે કે, આવુ કશુ છે જ નહીં.
રાજ્યના અમુક જિલ્લાઓમાં 144 લાગૂ કરાઈ
ગુજરાત ભરમાં સિટિઝન એમેન્ડમેન્ટ એકટનો વિરોધ થઈ રહ્યો છે અમદાવાદ બંધના એલાનને પગલે કોલેજોમાં વિરોધ શરૂ થઈ ગયો છે તો વળી ગીર સોમનાથમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. બનાસકાંઠામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. જેને પગલે 4ની અટકાયત કરવામાં આવી છે. વડોદરા, સુરત અને રાજકોટમાં પણ દિવસ ચઢવાની સાથે સાથે વિરોધ વકરી રહ્યો છે.