રાજસ્થાનમાં કોટામાં થઈ રહેલા બાળકોના મોતના મામલાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. ગુજરાતમાં સિવિલ હોસ્પિટલોમાં નવજાત બાળકોના મોતના આંકડા બહાર આવ્યા છે. ત્યારે આજે સવારે આ અંગે સીએમ રૂપાણીને આ અંગે પ્રશ્ન પૂછાતા તેમણે મૌન સેવ્યું હતુ પરંતુ બપોરે અચાનક CM દ્વારા સુફિયાણું નિવેદન સામે આવ્યું હતુ. ગુજરાતમાં નવજાત બાળકોના મોત માટે કોણ જવાબદાર? આ મુદ્દે ઘમાસાણ જામ્યું છે.
સરકાર આ વાત ગંભીરતાથી લઈ રહી છે
તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ ચાલુ છે
સવારે આ જ મુદ્દે CM જવાબ આપવાનું ટાળ્યું હતુ
રાજ્યની સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતના મામલે CM રૂપાણીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે સરકાર આ વાત ગંભીરતાથી થઈ લઇ રહી છે. અને આમાં જેની ભૂલ હશે તેની તપાસ કરાશે. તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે.
સવારે વડોદરા મેરેથોનના ઉદ્ઘાટન વખતે CM રૂપાણીએ નહોતો આપ્યો જવાબ
રાજ્યમાં શિશુ મૃત્યુના દરમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. જો કે આ મામલે જ્યારે સીએમ વિજય રૂપાણીને સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કોઇ જવાબ ન આપ્યો અને મૌન સાધી લીધું. વડોદરામાં મેરેથોન દરમિયાન રાજ્યમાં શિશુમૃત્યુ દરને લઇ સવાલ કરાયો હતો. જો કે સીએમ રૂપાણીએ આ અંગે કોઇ જવાબ ન આપ્યો.
રાજકોટમાં સિવિલમાં થયેલા મોતનો આકંડો
ક્રમ
મહિનો
બાળકોના મોત
1
જાન્યુઆરી
122
2
ફેબ્રુઆરી
105
3
માર્ચ
88
4
એપ્રિલ
77
5
મે
78
6
જૂન
88
7
જુલાઈ
84
8
ઓગસ્ટ
100
9
સપ્ટેમ્બર
118
10
ઓક્ટોમ્બર
131
11
નવેમ્બર
110
12
ડિસેમ્બર
134
મને માહિતી નથી: નીતિન પટેલ
મીડિયાના અહેવાલ બાદ મોતના આંકડાની જાણ થઈ. વિવિધ યોજનાના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બાળકોના મોત અંગેની માહિતી મેળવીને પત્રકાર પરિષદ કરીશ. રાજ્યમાં બાળકોના મોત અંગેની મારી પાસે માહિતી નથી.
તપાસ કરવામાં આવશે : આરોગ્ય મંત્રી
આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું કે, બાળમૃત્યુ દર મામલે તપાસ કરવામાં આવશે. આખા રાજ્યમાંથી હોસ્પિટલોમાંથી રિપોર્ટ મંગાવાશે અને તેનું એનાલિસિસ કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોના રજિસ્ટરોને પણ ચેક કરવામાં આવશે. અને રજિસ્ટર ચેક કર્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તમામ હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવી રહી છે. અને ICU અને બેડમાં પણ વધારો કરવામાં આવી રહ્યું છે.
શું કહ્યુ પુરુષોત્તમ રૂપાલાએ?
રાજ્યમાં બાળમૃત્યુ મામલે કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે કહ્યું કે,બાળકોના મૃત્યુની કરૂણ ઘટના છે..બાળકો મૃત્યુ મામલે તંત્ર દ્વારા ઘટતું કરવામાં આવે છે.આપણો પાયાનો પ્રશ્ન, રાજકીય રીતે ન જોવો જોઈએ.આવા પ્રશ્નોને સાથે મળીને પગલા ભરવા જોઈએ. જેથી આવી ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે.