ગીર સોમનાથઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ગીર-સોમનાથની મુલાકાત લેશે. અહીં યોજાનારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કારોબારી બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ત્યારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ શકે છે.
સોમનાથના સાનિધ્યમાં RSSની સૌપ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક 15થી 17 જુલાઇનું આયોજન
મહત્વનું છે કે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં RSSની સૌપ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના RSSના પ્રચારકો પ્રાંત પ્રચારકો અને અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે જ સંઘની વાર્ષિક કાર્યકારિણીથી યોજાઇ છે. જેથી દેશના રાજકારણ પર આની અસર થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. રામમંદિર સહિતના મહત્વના મુદ્દે આ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ લેવાય તવી શક્યતા છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથના સાગર દર્શન અતિથિ ગૃહ ખાતે કાર્યકારિણી યોજાશે. ત્રણ દિવસમાં સંઘના રાષ્ટ્રીય કારોબારીના તમામ સભ્યો સંઘના વડા અને દેશના જુદા જુદા પ્રાંતમાંથી આવેલા પ્રચારકો અને સહ પ્રચારકો આ ચિંતન બેઠકની વિવિધ સભાઓમાં હાજર રહેશે.