ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે સીએમ રૂપાણીએ જૂનાગઢમાં કહ્યું છે કે રાજ્યમાં લૉકડાઉન કે પ્રતિબંધો માટે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.
લોકડાઉન અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ CM
આજે સાંજે બેઠકમાં ચર્ચા કરવામાં કરાશે-CM
લોકડાઉન કે નિયંત્રણો મુદ્દે આજે નિર્ણય લેવાશે-CM
જિલ્લા પ્રમાણે સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે-CM
લોકડાઉન અંગે આજે લેવામાં આવશે નિર્ણય
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેની અવધિ આવતીકાલે સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ જુનાગઢમાં આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લૉકડાઉન અંગે આજે સાંજે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.સીએમ રૂપાણીએ જુનાગઢમાં નિવેદન આપ્યું હતું કે લોકડાઉન કે પછી રાજ્યમાં નિયંત્રણો મુદ્દે આજે સાંજે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.
અઘોષિત લોકડાઉનના સમયમાં થઈ શકે છે વધારો
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા 29 શહેરોમાં જે પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે તે 5મી મે સુધી લગાવવામાં આવ્યા હતા એવામાં હવે આ પ્રતિબંધો લંબાવવા મુદ્દે ગુજરાત સરકાર મોટી મૂંઝવણમાં છે. લોકડાઉનની જાહેરાત કરવા મુદ્દે રાજ્યની સરકાર મોટી મૂંઝવણમાં દેખાઈ રહી છે. રાજ્યમાં અત્યારે રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ તથા વિવિધ પ્રકારના પ્રતિબંધ કરવામાં આવ્યા છે આ પ્રતિબંધોને હવે લંબાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જેનો અર્થ થાય છે કે રાજ્યમાં અત્યારે જે જગ્યાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે તે હજુ પણ બંધ જ રહેશે.
29 શહેરમાં મિનિ લોકડાઉન જેવા પ્રતિબંધોની જાહેરાત કરાઇ હતી
રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ બાદ ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આટલું જ નહીં આ નિયમોને વધુ કડક બનાવે તેવી પણ સંભાવના છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે પહેલાં નાઈટ કર્ફ્યૂ અને તે બાદ વિવિધ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. આ પ્રતિબંધોને મિનિ લોકડાઉન અથવા અઘોષિત લોકડાઉન જેવી પરિસ્થિતિ કહી શકાય. એવામાં આ પ્રતિબંધોની કડક અમલવારી સાથે પ્રતિબંધોને 15મી મે સુધી લંબાવી દેવામાં આવે તેવી સંભાવના છે.