કોરોના વાયરસે સમગ્ર દેશમાં કોહરામ મચાવ્યો છે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 166 કેસ છે અને 12 લોકોના મોત થયાં છે. ત્યારે આ મહામારીને મ્હાત આપવા માટે રાજ્ય સરકાર પણ લડી લેવાના મૂડમાં છે. માટે જ કોરોના સામેની જંગ લડવા માટે રાજ્યના 29 જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તો વેન્ટિલેટરની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવી છે.
ગુજરાતમાં કોરોનાના 166 કેસ
રાજ્ય સરકાર કોરોના સામે લડવા સજ્જ
દરેક જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ કરાઇ તૈયાર
આ સાથે જ સમગ્ર દેશ સહિત વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે રાજકોટની જ્યોતિ CNC દ્વારા ધમણ વેન્ટિલેટરનું સફળતા પૂર્વક ટ્રાયલ લીધી છે આમ રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે યુદ્ધના ધોરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં કુલ 3000થી વધુ વેન્ટિલેટરની સુવિધા
રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે 1061 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત 1700 જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ છે. વધુ 1000 વેન્ટીલેટર ખરીદીનો આદેશ આપેલ છે. વધુમાં 43 વેન્ટીલેટર દિલ્હી ખાતેથી રાજ્ય સરકારને મળેલ છે.
વેન્ટીલેટર અને વેન્ટીલેટર કેર તાલીમ
રાજયના ડોકટર્સ અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.21/03/2020 થી તાલીમકેન્દ્ર પણ શરૂ કરેલ છે. અને તા.5/04/2020 સુધીમાં 3522 આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.
4300 થી વધુ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલ તૈયાર
હાલ રાજ્યમાં કુલ 4300 થી વધુ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે તથા 1000 થી વધુ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે.
SARI કેસો અંગેની જાણકારી માટે એપ્લિકેશન બનાવવામાં આવી
રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARI ના કેસોની માહિતી તાત્કાલિક મળી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા Dr.TeCHO Application શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત 2469 જેટલા ખાનગી તબીબોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.
રાજયમાં અમદાવાદ ખાતે 1200 બેડ, વડોદરા, રાજકોટ ખાતે 250 અને સુરત ખાતે 500 બેડ તેમજ તમામ જીલ્લા ખાતે 100 બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવેલ છે. આમ કુલ રાજયમાં 5100 બેડની સુવિધા વધારવામાં આવશે જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે.
રાજ્યની 3 ખાનગી લેબમાં કોરોના ટેસ્ટની મંજૂરી
રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરતથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરીન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરીઅને પાનજીનોમિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-૧૯ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.