આજે રાજકારણમાં જંગ જામ્યો છે. ગુજરાતમાં 4 બેઠક માટે રાજ્યસભા ચૂંટણી યોજાઈ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની જીત પાક્કી હોવાનો દાવો કરતા જણાવ્યું હતુ કે, ભાજપના 3 લોકો જીતશે.
BTPના મત પણ ભાજપને જ મળશે
કોણ કોણ છે મેદાનમાં?
કોંગ્રસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા
ગુજરાતમાં આજે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે જેમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો દ્વારા મતદાન થઈ રહ્યુ છે ત્યારે CM રૂપાણી પણ મત આપવા પહોંચ્યા હતા અને તેમણે હું કાર કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસ સુપ્રીમમાં ગઈ છે. ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે. છોટુ વસાવા આદિવાસી નેતા છે. ભાજપે આદિવાસીઓ માટે ઘણા કામ કર્યા. BTPના મત પણ ભાજપને જ મળશે.
ભાજપે 3 ઉમેદવાર તો કોંગ્રેસે 2 ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. હાલ ભાજપ પાસે છે 103 ધારાસભ્ય છે જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે. તો NCPના 1, BTPના 2 અને અપક્ષ 1 ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાં છે ત્યારે આજે BTPનો મત પડશે તે ઉમેદવાર જીતશે.
કોણ કોણ છે મેદાનમાં?
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી