કોરોના કાળ વચ્ચે નાના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ, સ્ટ્રીટ વેન્ડર્સને માટે CM રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે જેમાં31 ઓકટોબર સુધી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુક્તિ અપાઇ છે.
કોરોના બાદ નાના ઉદ્યોગની સ્થિતિને લઈ મોટો નિર્ણય
રૂ.50 હજાર સુધીની લોન મેળવનારા વેપારીઓ માટે નિર્ણય
31 ઓકટોબર સુધી સ્ટેમ્પ ડયુટી ભરવા માંથી મુકિત જાહેર
કોરોના બાદ નાના ઉદ્યોગની સ્થિતિને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રૂ.50 હજાર સુધીની લોન મેળવનારા વેપારીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. 31 ઓકટોબર સુધી સ્ટેમ્પ ડયુટી ભરવા માંથી મુકિત જાહેર કરવામાં આવી છે.
નાના ઊદ્યોગો, સ્ટાર્ટઅપ, સ્ટ્રીટ વેન્ડર્સને લઈ CM રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. ઉદ્યોગો પૂન: બેઠા કરવા CM રૂપાણીએ નિર્ણય કર્યો છે. 25 હજાર નાના ઊદ્યોગકારો-સ્ટાર્ટઅપને લાભ મળશે. PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અંતર્ગત 2 લાખ લોકોને લાભ મળશે. 2 લાખ સ્ટ્રીટ વેન્ડર્સના રૂ.7.75 કરોડની સ્ટેમ્પ ડયુટી માફ કરતા તેમને ઘણો લાભ થશે. રૂ.6 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડયુટી માફ કરવામાં આવશે.
કોરોના કાળ વચ્ચે નાના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ, સ્ટ્રીટ વેન્ડર્સને માટે CM રૂપાણીનો નિર્ણય, 31 ઓકટોબર સુધી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી અપાઇ મુકિત, PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અંતર્ગત 2 લાખ લોકોને મળશે લાભ#Coronavirus@vijayrupanibjp@narendramodi@CMOGuj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 21, 2020