જયંતિ ભાનુશાળીની હત્યા મામલે દિવસેને દિવસે રહસ્યો વધી રહ્યા છે. ત્યારે આ મામલે મૂળ આરોપી સુધી પહોંચવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી. જયંતિ ભાનુશાળીની હત્યાના 16 દિવસ બાદ પણ હત્યારાઓ નહીં ઝડપાતા પરિવારજનોએ મુખ્યમંત્રીને મામલો હાથમાં લેવા પત્ર લખ્યો હતો. ત્યારે આ મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પોલીસ જીણવટ ભરી તપાસ કરી રહી છે. કોઇ પણ હશે તેને છોડવામાં નહીં આવે. નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરવામાં આવશે.
અમારા ભાઈને ખોટી રીતે ફસાવામાં આવી રહ્યાં છેઃ દિનેશ પટેલ
આખા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ મચાવનાર જયંતિ ભાનુશાળી ચકચારી હત્યા કેસ છબીલ પટેલ આ હત્યાના ષડયંત્રમાં સામેલ હતાં તે નક્કી થઈ ગયું છે. આ બાબતે છબીલ પટેલના મોટા ભાઈ દિનેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે છબીલ ભાઈ રાજકીય કિન્નખોરીનો ભોગ બની રહ્યા છે. સત્ય હકીકત આવનારા સમયમાં સામે આવી જશે.
પોલીસ તપાસથી સંતોષ: ભાનુશાળીના ભાઇ
જ્યંતિ ભાનુશાળીની હત્યામાં સામેલ કુલ 2 આરોપીની CID ક્રાઇમે ધરપકડ કરી છે. જ્યારે 5 આરોપીઓ ફરાર છે. જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મામલે જ્યંતિ ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે અમને પોલીસની કામગીરીથી સંપૂર્ણ સંતોષ છે.
મહત્વનું છે કે જ્યંતિ ભાનુશાળીના પરિવાર દ્વારા છબીલ પટેલ મનીષા ગોસ્વામી સિદ્ધાર્થ પટેલ જયંતિલાલ ઠાકર તથા ઉમેશ પરમાર એમ 5 લોકો સામે હત્યામાં સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.