મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવાંતર યોજના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. ભાવાંતર યોજનાના કારણે ખેડૂતોને નુકસાન થશે અને માત્ર દલાલોને ફાયદો થવાની મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી.
રાજ્યસરકારે લાંબી વિચારણા બાદ ટેકાના ભાવે ખરીદી કરવાની યોજના અમલમાં મુકી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને જ સીધો લાભ થઈ રહ્યો છે.
વધુમાં તેમને કહ્યું કે સૌરાષ્ટ્રની પ્રજાને જાન્યુઆરીમાં સૌની યોજનાનો પુરો લાભ મળવાનો શરૂ થશે અને સૌરાષ્ટ્રમાં દુષ્કાળ હતો તે ભૂતકાળ બની રહેશે તેવી વાત તેમને કરી હતી.