લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ દ્વારા ક્લસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કલસ્ટર સંમેલનમાં CM રૂપાણીએ સંબોધન કર્યું હતું. તેમને આ સંમેલન મારફતે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમને કહ્યું કે કોંગ્રેસ પાસે કોઇ મુદા નથી કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરીને દેશને બરબાદ કર્યા છે.
વધુમાં સીએમ રૂપાણીએ કહ્યું કે તેઓ લોકોના કામ અને લોકોની સેવા માટે આવ્યા છે. ઈમાનદારી પૂર્વક લોકોનું કામ કરશે. ગરીબોની પડખે ઉભા રહેવાની સરકાર છે. એક વર્ષમાં 730 અધીકારીઓને ACBએ પકડ્યા છે. અમારી સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરનારી સરકાર છે. પ્રજાના પૈસા અમે તેમના વિકાસમાં જ વાપરીશું આવું નિવેદન આપ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે કોઇ ભ્રષ્ટાચારી બચી નહીં શકે. નાનો વેપારી પણ 24 કલાક દુકાન ચાલુ રાખી શકશે. GEBના જુના કેસમાં માત્ર 500 રૂ. ભરી સમાધાન કરી શકાશે. યુરિયા ખાતરની કાળા બજારી બંધ કરાવી.
મહત્વનું છે કે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ આ સંમેલનમાં સુરેન્દ્રનગર કચ્છ અને રાજકોટની બેઠક માટે ચર્ચા વિચારણ કરવામાં આવી. તો આ સંમેલનમાં ગુજરાત ભાજપના પ્રભારી ઓ.પી. માથુર અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાસિંહ ચૌહાણે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.