ગુજરાતના CM રૂપાણીએ રાજીનામું આપી દીધું છે ત્યારે જે અખબારના તંત્રીને સૌથી પહેલા આ સમાચારની જાણ થઈ હતી તે અકિલા ન્યૂઝના કિરીટ ગણાત્રાએ જે કહ્યું તે જાણવા જેવું છે.
ગુજરાતના CM રૂપાણીએ રાજીનામું આપી દીધું છે ત્યારે જે અખબારના તંત્રીને સૌથી પહેલા આ સમાચારની જાણ થઈ હતી તે અકિલા ન્યૂઝના કિરીટ ગણાત્રાએ જે કહ્યું તે જાણવા જેવું છે.
તેમણે કહ્યું હતું કે મારે 40 કરતાં વધારે વર્ષથી પત્રકારત્વમાં અનુભવ છે અને બધા જ મુખ્યમંત્રીઓ સાથે નજીકના સંબંધો રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામું આપતા પહેલા જ મારી સાથે વાતચિત કરી હતી. તેમણે જ સૌથી પહેલા આ સમાચાર કન્ફર્મ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે ન્યૂઝ કન્ફર્મ ન કર્યા હોય ત્યાં સુધી કોઈ સમાચાર આપતા જ નથી અને જેવા સમાચાર જાણવા મળ્યા કે તરત તેમણે cm રૂપાણીને ફોન લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજા માટે ઘણું કામ કર્યું છે.
ગોરધન ઝડફીયા પ્રબળ દાવેદાર
કિરીટભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે તેમનાં અંદાજ મુજબ ભાજપના ગોરધનભાઈ ઝડફિયા આગામી મુખ્યમંત્રી બનવા માટેના પ્રબળ દાવેદાર ગણી શકાય આ માટે જાતિગત સમીકરણો પણ જવાબદાર હોય શકે છે. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેં નિર્ણય લે છે તે દૂરોગામી હોય છે.
પાટીદાર ફેક્ટર નડી ગયું?
હવે ગુજરાતમાં આગામી ચૂંટણી જીતવા માટે પાટીદાર ફેક્ટર મોટો ભાગ ભજવે તેવી શક્યતા કોઈ નકારી ન શકે. આ સાથે હવે પાટીદાર ચહેરાને ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદ માટે આગળ કરવામાં આવે તેવી સંભાવના પણ અકીલાના તંત્રી કિરીટ ગણાત્રાએ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં પાટીદાર નેતા મુખ્યમંત્રી બને તેવી સંભાવના છે. કારણ કે ભાજપને કોરોના બાદ હવે એક નવો ચહેરો મુખ્યમંત્રી પદ માટે જોઈએ તેવી આવશ્યકતા ઊભી થઈ છે.
રાજીખુશીથી રાજીનામું આપ્યાની કરી વાત
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાને લઇ વિજય રૂપાણીએ કહ્યું કે હું ભાજપનો આભાર માનુ છું. મને તક આપવા બદલ PM મોદી અને અમિત શાહનો આભાર. મને પાર્ટી તરફથી જે જવાબદારી મળશે તે હું નિભાવીશ. મેં સંગઠનમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે. અને મને જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવીશ. મને સમગ્ર ગુજરાતની જનતાનો સારો સહયોગ મળ્યો છે. મને જે જવાબદારી મળશે તે સ્વીકારીશ. વિજય રૂપાણીએઅ કહ્યું કે નવા નવા નેતૃત્વ ભાજપ જ કરી શકે છે. આ રીલે રેસ છે બધા દોડતા જાય છે અને આગળ વધે છે. મેં મારી રાજીખુશીથી રાજીનામું આપ્યુ છે. PM મોદીના નેતૃત્વમાં ગુજરાતની ચૂંટણી લડશે.
07-08-2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ વિનમ્ર અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ બાળપણથી જ સંઘના પ્રખર સ્વયંસેવક રહ્યા છે.
જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મામાં થયો
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મા (રંગૂન શહેર)ખાતે થયો છે. લો પ્રોફાઈલ ધરાવતા CM રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો વિદ્યાર્થી કાળમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે વિરોધ પ્રદર્શનની આગેવાની કરી હતી. તો કટોકટી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.
ગોરધન ઝડફિયા નવા મુખ્યમંત્રીની ચર્ચામાં પ્રથમ
અકિલા અખબારના તંત્રી કિરીટ ગણાત્રાએ VTV સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, ગોરધન ઝડફિયા ગુજરાતના નવા મુખ્યમંત્રી બને તેવી ચર્ચા છે. ખાસ કરીને 2022ની ચૂંટણી પહેલા પાટીદારો નારાજ હોવાનું છેલ્લા કેટલાક સમયથી ચાલ્યું આવે છે. ત્યારે ગોરધન ઝડફિયા પાટીદાર સમાજ અને અન્ય સમાજોમાં પણ જાણીતા છે.
વિજય રૂપાણીનો રાજકીય સફર
વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા
હાલમાં પણ રાજકોટ પશ્ચિમ સીટનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
7 ઓગસ્ટ 2016એ ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘમાં પણ સક્રિય હતા
ભાજપની સ્થાપનાથી જ એટલે કે 1971થી પક્ષનાં કાર્યકર્તા છે
1976માં કટોકટી વખતે ભાવનગર, ભુજમાં જેલમાં રહી ચૂક્યા છે
1978થી 1981 સુધી RSSના પ્રચારક પણ હતા
1987માં રાજકોટ મનપાના સભ્ય તરીકે ચૂંટાયા
જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ રહી ચૂક્યા છે
1996થી 1997 સુધી રાજકોટ મનપાના મેયર તરીકે કાર્ય કર્યું
1998માં ગુજરાત ભાજપના વિભાગાધ્યક્ષ થયા
2006માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે
2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે
રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે