બનાસકાંઠાઃ નડાબેટ ખાતે CM રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર નડાબેટને બોર્ડર ટુરિસ્ટ પ્લેસ તરીકે આગામી દિવસોમાં વિકસાવાશે. રૂ.60 કરોડના ખર્ચે સીમા દર્શન તરીકે ટુરિસ્ટ પોઇન્ટ બનાવાશે. જેથી પ્રવાસીઓી સંખ્યામાં વધારો થશે.
મહત્વનું છે કે માત્ર એક વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ સીમાના દર્શન કર્યા છે. તેથી હવે સીમા દર્શનની સાથે એડવેન્ચર એક્ટિવિટી પણ શરૂ કરાશે. આ ઉપરાંત જવાનો તેમના પરિવારનો સંપર્ક કરે તે માટે પણ સુવિધા ઉભી કરાશે. પરિવાર સાથે સરળતાથી સંપર્ક માટે મોબાઈલ ટાવરની પણ વ્યવસ્થા અહી ઉભી કરવામાં આવશે.
CMએ નડાબેટ બોર્ડર પર સૈનિકોની કરી મુલાકાત
દિવાળીના પર્વની ઉજવણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નડાબેટ બોર્ડર પર સૈનિકોની મુલાકાત કરી હતી. મીઠાઈ ખવડાવીને સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. તેમણે કહ્યું કે 60 કરોડના ખર્ચે હવે નડાબેટ બોર્ડર ટુરિઝમનું સેન્ટર બનશે. લોકો સીમા દર્શન કરી શકશે.
વાઘા બોર્ડરની જેમ નાડાબેટ બોર્ડર...
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવાળીનો પર્વ સૈનિકો સાથે ઉજવ્યો હતો. બનાસકાંઠાની નાડાબેટ બોર્ડરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી અને તેમના પરિવારે નડેશ્વરી માતાજી મંદિરના દર્શન કર્યા. ત્યારબાદ સીમા દર્શન કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લીધી હતી. 60 કરોડના ખર્ચે સીમા દર્શન શરૂ કરવામાં આવશે. જ્યાં પર્યટકો માટે સીમાના દર્શન સાથે જુદી જુદી એડવેન્ચર રાખવામાં આવશે. વાઘા બોર્ડરની જેમ નાડાબેટ બોર્ડર પણ ટુરિસ્ટ પ્લેસ બનશે.
મોબાઈલ નેટવર્ક ઉભા કરવાની જાહેરાત
નાડાબેટ બોર્ડર પર મોબાઈલ નેટવર્કની મોટી સમસ્યા હતી. જેથી જવાનો પોતાના પરિવાર સાથે સંપર્ક વિહોણા થઈ જાય છે. જેથી મુખ્યમંત્રીએ જવાનો માટે મોબાઈલ નેટવર્ક ઉભા કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી.