આજે અમદાવાદમાં ગુરૂવાર ખરાબ સમાચાર લઈને આવ્યો છે. અમદાવાદ નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 8 કોરોનાના દર્દી હોસ્પિટલમાં લાગેલી આગમાં જીવાત ભુંજાઈ ગયા છે આ મામલે CM રૂપાણીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
cm રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
પીએમ મોદીએ પણ કરી દિલગીરી વ્યક્ત
જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલા લેવાશે
ગુજરાતમાં સર્જાયેલા અગ્નિકાંડમાં તાત્કાલિક CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની હોનારતની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.
તપાસ માટે કમિટિની રચના
આ બનાવની તપાસ માટે રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીની કમિટિ રચી છે. આમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કરેલ છે.
Saddened by the tragic hospital fire in Ahmedabad. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to CM @vijayrupanibjp Ji and Mayor @ibijalpatel Ji regarding the situation. Administration is providing all possible assistance to the affected.
આ સાથે જ એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.
આગને પગલે દર્દીઓના સગા-વહાલામાં રોષ
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠતા 8 દર્દીઓના સળગી જવાથી મોત નીપજ્યા છે. આ હોનારતને પગલે દર્દીઓના સગા-વ્હાલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ સાથ થોડું ઘર્ષણ પણ થયું હતું.