સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજંયતિને દિવસે સમગ્ર દેશમાં પરાક્રમ દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે
ગુજરાતના બારડોલીમાં પરાક્રમ દિવસની ઉજવણી
સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી
ભાજપ પરાક્રમ દિવસ તરીકે ઉજવી રહ્યુ છે
સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજંયતિને દિવસે સમગ્ર દેશમાં પરાક્રમ દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ભાજપમાં દેશભરમાં પરાક્રમ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી સુરતમાં થઈ રહી છે. જેમાં બારડોલીના હરિપુરા ગામે પરાક્રમ દિવસની ઉજવણી કરાઈ રહી છે.
આ ઉજવણીમાં મુખ્યમંત્રી CM રૂપાણીની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિ જોવા મળશે. 51 બળદગાડાના રથમાં સ્વાગત કરાશે.
CM રૂપાણીનું પરાક્રમ દિવસ નિમિત્તે સંબોધન
સુભાષ બાબુ પ્રખર જ્ઞાની હતા. તેઓ એ જનામાનામાં ICS થયા હતા. કોંગ્રેસમાં જોડાઇ દેશ સેવા કરવા લાગ્યા હતા. આઝાદીની ચળવળમાં બંગાળ અને ગુજરાતનો સંબંધ હતો. દેશના ભાગલા ન પડે તેવી વાત સુભાષબાબુએ કરી હતી. સુભાષબાબુએ કહ્યું હતું કે અંગ્રેજો કે ભૂત બાતો સે નહી માનેંગે. પ્રથમ વિશ્વયુદ્વનો લાભ લેવાની સુભાષબાબુએ વાત કરી હતી. કોંગ્રેસના લોકોએ આ વાત સમજવા તૈયાર ન થયા. સુભાષબાબુ કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારે કમિટીએ સહયોગ ન આપ્યો. બાદમાં સુભાષબાબુએ ફોરવર્ડ બ્લોક નામની પાર્ટી બનાવી. સુભાષબાબુ જીવે છે કે મરી ગયા તે જાણવાની કોંગ્રેસે દરકાર ન લીધી. સુભાષબાબુ હોત તો પાકિસ્તાન બન્યુ જ ન હોત. સુભાષબાબુ હોત તો ભારત ઇઝરાયેલની જેમ હુંકાર કરતું હોત.