ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા 5 હજાર રેમડેસિવિર ઇંજેક્શન ખરીદવાની જાહેરાતનો મામલો ગરમાયો છે
ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ
ઇન્જેક્શન વિતરણને લઇ સી.આર.પાટીલનું નિવેદન
''ભાજપે પોતાની રીતે પુરક વ્યવસ્થા કરી''
શું કહ્યુ CM રૂપાણીએ?
રેમડેસિવિર ઇન્જેક્શને લઇ વિવાદ શરૂ થઇ ગયો છે. C R પાટીલ સરકાર સાથે સંકલન વિના કામ કરી રહ્યાં હોવાનો ખુલાસો થયો છે. સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર વિતરણ મુદ્દે CM રૂપાણીએ કહ્યું કે સરકારે ભાજપને કોઈ જથ્થો નથી આપ્યો. ઈન્જેક્શનના જથ્થા મુદ્દે C R .પાટીલને પૂછવું જોઈએ. C R પાટીલે વ્યવસ્થા કેવી રીતે કરી એ તેમને ખબર છે.
C R પાટીલે પક્ષના અન્ય લોકોને સંપર્કમાં લીધા વિના જ કામ શરૂ કરી દીધુ હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે કારણ કે, પાટીલની જાહેરાત બાદ સીએમ કંઈક ઔર જ કહે છે. એટલે એ પણ પ્રશ્ન છે કે શું ભાજપમાં જ અંદરો અંદર બે ફાંટા છે?
શું કહે છે C R Patil
C R પાટીલે આ અંગે નિવેદન આપતા કહ્યું કે સુરતના કેટલાક મિત્રોએ બજાર ભાવે ઇન્જેક્શન ખરીદ્યા હતા. અને ભાજપે પોતાની રીતે પુરક વ્યવસ્થા કરી છે. સરકાર રાજ્યમાં પોતાની રીતે વ્યવસ્થા કરી રહી છે. અમે ઇન્જેક્શનું ભાજપના માધ્યમથી વિતરણ કરી રહ્યાં છીએ. જરૂરિયાત મંદોને ઇન્જેક્શન આપવામાં આવશે.
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા 5 હજાર રેમડેસિવિર ઇંજેક્શન ખરીદવાની જાહેરાતનો મામલો ગરમાયો છે. પાટીલની જાહેરાત બાદ હવે તપાસના આદેશ અપાયા છે. આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસ કરશે. 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો અને ખાનગી જગ્યાએ જથ્થાના વિતરણ કેવી રીતે કરાયું તે અંગે તાપસ કરાશે.
રાજકીય પક્ષના કાર્યાલયમાં રેમડેસિવિરના વિતરણની પણ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે રાજ્યમાં ઇંજેક્શનની અછત વચ્ચે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગઇકાલે ફ્રીમાં રેમડેસિવિર આપવાની જાહેરાત કરી હતી. ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે શું રાજકીય પક્ષો માટે જ ઇંજેક્શન છે. જે લોકોને ખરેખર ઇંજેક્શનની જરૂર છે તેવા લોકોને કેમ ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.